Bharat Ratna: સુભાષચંદ્રને ભારત રત્ન ‘ના’ આપવાથી લઈને; કોણે ભારત રત્ન પર મૂક્યો પ્રતિબંધ ? જાણો તથ્યો…

0
141
Bharat Ratna
Bharat Ratna

Bharat Ratna: બે વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂકેલા કર્પૂરી ઠાકુરને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવશે. તેમને આ સન્માન મરણોત્તર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિ 24મી જાન્યુઆરીએ છે. આના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે તેમને આ સન્માન આપવાની જાહેરાત કરી છે.

24 જાન્યુઆરી કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ

સામાન્ય રીતે કેન્દ્ર સરકાર પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ક્યારેક પદ્મ પુરસ્કારો અને ક્યારેક ભારત રત્ન જાહેર કરે છે.

આ વખતે સરકારે પ્રજાસત્તાક દિવસના બે દિવસ પહેલા ભારત રત્નની જાહેરાત કરી છે. 24 જાન્યુઆરીએ કર્પૂરી ઠાકુરની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ, તેમને મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ભારત રત્ન વિશેના તથ્યો…

ભારત રત્ન (Bharat Ratna) એ ભારતના પ્રજાસત્તાકનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. 2 જાન્યુઆરી 1954ના રોજ સ્થપાયેલ, આ પુરસ્કાર જાતિ, વ્યવસાય, પદ અથવા લિંગના ભેદ વિના ‘ઉચ્ચ ક્રમની અસાધારણ સેવા/પ્રદર્શન’ માં આપવામાં આવે છે.

આ પુરસ્કાર મૂળરૂપે કળા, સાહિત્ય, વિજ્ઞાન અને જાહેર સેવાઓમાં સિદ્ધિઓ પૂરતો મર્યાદિત હતો, પરંતુ સરકારે ડિસેમ્બર 2011માં “માનવીય પ્રયાસોના કોઈપણ ક્ષેત્ર”નો સમાવેશ પણ કરવામાં આવ્યો.

આખરે કેમ સુભાષચંદ્રને નથી આપવામાં ભારત રત્ન..?

why is Subhashchandra not given the Bharat Ratna..?
why is Subhashchandra not given the Bharat Ratna..?

1992 માં, નેતાજી સુભાષ ચંદ્ર બોઝને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનું મૃત્યુ વિવાદાસ્પદ હોવાના કારણે એવોર્ડના મરણોત્તર સ્વરૂપ અંગે પ્રશ્નો ઉભા થયા હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ હંમેશા રહસ્યના ઘેરામાં રહેલું છે, તેમજ તેમના મૃત્યુના ચોક્કસ પૂરાવા પ્રાપ્ત થાય ન હતા, તેથી જ ભારત સરકારે આ સન્માન પાછું ખેંચ્યું હતું. કથિત સન્માન પાછું ખેંચી લેવાનું આ એકમાત્ર ઉદાહરણ છે.

મૌલાનાએ ભારત રત્ન લેવાથી કર્યો ઇનકાર

ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદને ભારત રત્ન આપવાની વાત આવી, ત્યારે તેમણે પોતે સખત ઇનકાર કર્યો, કારણ કે જે લોકો તેની પસંદગી સમિતિમાં હતા તેમને આ સન્માન ન આપવું જોઈએ.

1 94

આખરે મૌલાના અબુલ કલામ આઝાદને 1992 માં મરણોત્તર ભારત રત્ન (posthumously Bharat Ratna) એનાયત કરવામાં આવ્યો.

બે વખત મૂકવામાં આવ્યો છે ભારત રત્ન પર પ્રતિબંધ

આ સન્માનને બે વખત સ્થગિત કરવામાં આવ્યા હતાં. પ્રથમ વખત મોરારજી દેસાઈની સરકારે આ સન્માનોને સ્થગિત કર્યા હતાં. તેમણે ૧૩ જુલાઇ ૧૯૭૭ના રોજ બધા જ વ્યક્તિગત સન્માનો પાછા ખેંચી લીધા.

આ ઉપરાંત પહેલાં જે વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવ્યા હતાં, તેમને પણ આ સન્માન ઇલ્કાબની જેમ ન વાપરવાની સૂચના આપવામાં આવી. ૨૫ જાન્યુઆરી ૧૯૮૦ના રોજ આ પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યો.

ઇ.સ. ૧૯૯૨માં આ સન્માન પર ફરીથી પ્રતિબંધ મુકવામાં આવ્યો. મધ્યપ્રદેશ અને કેરલ રાજ્યની વડી અદાલતમાં આ સન્માનોની બંધારણીય યોગ્યતાને પડકારતી બે જાહેર હીતની અરજીઓ કરવામાં આવી હતી. અંતે ડિસેમ્બર ૧૯૯૫માં સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ આ સન્માનો ફરીથી ચાલુ કરવામાં આવ્યાં.

Bharat Ratna: પુરસ્કાર મેળવનાર મહાનુભાવોની યાદી

ક્રમવર્ષનામયોગદાન
૧.૧૯૫૪ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનબીજા રાષ્ટ્રપતિ, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, દાર્શનિક.
૨.૧૯૫૪સી. રાજગોપાલાચારીછેલ્લા ગવર્નર જનરલ, સ્વાતંત્ર્ય સેનાની.
૩.૧૯૫૪સી. વી. રામનનોબૅલ પારિતોષિક વિજેતા ભૌતિક શાસ્ત્રી
૪.૧૯૫૫ભગવાન દાસદાર્શનિક, સ્વાતંત્ર્ય સેનાની.
૫.૧૯૫૫એમ.વિશ્વેસવરીયાભાખરા નાગલ બંધના નિર્માતા, સિવિલ એન્જી.
૬.૧૯૫૫જવાહરલાલ નેહરુપ્રથમ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની, લેખક.
૭.૧૯૫૭ગોવિંદ વલ્લભ પંતસ્વાતંત્ર્ય સેનાની, ઉત્તર પ્રદેશનાં પ્રથમ મુખ્ય મંત્રી
૮.૧૯૫૮ધોન્ડો કેશવ કર્વેશિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક.
૯.૧૯૬૧ડો.બી.સી.રોયડોક્ટર, રાજકારણી, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી.
૧૦.૧૯૬૧પુરુષોત્તમદાસ ટંડનસ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી.
૧૧.૧૯૬૨રાજેન્દ્ર પ્રસાદપ્રથમ રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર્ય સેનાની.
૧૨.૧૯૬૩ડૉ. ઝાકીર હુસૈનભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જામીયા મિલિયાના સ્થાપક.
૧૩.૧૯૬૩ડો.પી.વી.કાણેસંસ્કૃતના વિદ્વાન.
૧૪.૧૯૬૬લાલ બહાદુર શાસ્ત્રી બીજા વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની.
૧૫.૧૯૭૧ઈન્દિરા ગાંધીપ્રથમ મહિલા વડાપ્રધાન.
૧૬.૧૯૭૫ડો.વી.વી.ગીરીભૂ.પૂ.રાષ્ટ્રપતિ.
૧૭.૧૯૭૬કે.કામરાજ સ્વાતંત્ર્ય સેનાની.
૧૮.૧૯૮૦મધર ટેરેસાનોબૅલ વિજેતા (શાંતિ, ૧૯૭૯).
૧૯.૧૯૮૩વિનોબા ભાવે ભૂદાન ચળવળનાં પ્રણેતા.
૨૦.૧૯૮૭ખાન અબ્દુલગફાર ખાનસરહદનાં ગાંધી, સ્વાતંત્ર્ય સેનાની.
૨૧.૧૯૮૮એમ.જી.રામચંદ્રન ફિલ્મ અભિનેતા, તામિલ નાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી.
૨૨.૧૯૯૦ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણ સભાના પ્રમુખ.
૨૩.૧૯૯૦નેલ્સન મંડેલારંગભેદ વિરોધી ચળવળનાં પ્રણેતા.
૨૪.૧૯૯૧રાજીવ ગાંધી ભૂતપૂર્વ વડાપ્રધાન.
૨૫.૧૯૯૧સરદાર વલ્લભભાઈ પટેલ સ્વાતંત્ર્ય સેનાની, લોખંડી પૂરૂષ.
૨૬.૧૯૯૧મોરારજી દેસાઈભૂતપૂર્વ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની.
૨૭.૧૯૯૨અબુલ કલામ આઝાદ સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી.
૨૮.૧૯૯૨જે.આર.ડી.તાતામહાન ઉધોગપતિ.
૨૯.૧૯૯૨સત્યજીત રેફિલ્મ સર્જક, લેખક
૩૦.૧૯૯૭ડો.એ.પી.જે.અબ્દુલ કલામવૈજ્ઞાનિક, ભૂ.પૂ. રાષ્ટ્રપતિ.
૩૧.૧૯૯૭ગુલઝારીલાલ નંદાસ્વાતંત્ર્ય સેનાની, ભૂ.પૂ. વડાપ્રધાન.
૩૨.૧૯૯૭અરુણા અસફઅલી સ્વાતંત્ર્ય સેનાની.
૩૩.૧૯૯૮એમ.એસ.સુબ્બુલક્ષ્મીશાસ્ત્રીય ગાયિકા.
૩૪.૧૯૯૮સી.એસ.સુબ્રહ્મણ્યમ્સ્વાતંત્ર્ય સેનાની, હરિયાળી ક્રાંતિના પ્રણેતા.
૩૫.૧૯૯૮જયપ્રકાશ નારાયણ સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સેવક.
૩૬.૧૯૯૯પંડિત રવિ શંકરપ્રખ્યાત સિતાર વાદક.
૩૭.૧૯૯૯અમર્ત્ય સેનનોબૅલ વિજેતા (અર્થશાસ્ત્ર,૧૯૯૮), અર્થશાસ્ત્રી.
૩૮.૧૯૯૯ગોપીનાથ બોરદોલોઈ સ્વાતંત્ર્ય સેનાની.
૩૯.૨૦૦૧લતા મંગેશકરપાશ્વ ગાયિકા.
૪૦.૨૦૦૧બિસ્મિલ્લાહ ખાનશાસ્ત્રીય શરણાઇ વાદક
૪૧.૨૦૦૯ભીમસેન જોશીશાસ્ત્રીય ગાયક
૪૨.૨૦૧૪સી.એન.આર.રાવવૈજ્ઞાનિક
૪૩.૨૦૧૪સચિન તેંડુલકરક્રિકેટર
૪૪.૨૦૧૫મદન મોહન માલવીયા શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી
૪૫.૨૦૧૫અટલ બિહારી વાજપેયીભૂતપૂર્વ વડા પ્રધાન – (૧૯૯૬), (૧૯૯૮), (૧૯૯૯-૨૦૦૪), કવિ
૪૬.૨૦૧૯પ્રણવ મુખર્જીભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (૨૦૧૨ થી ૨૦૧૭)
૪૭.૨૦૧૯નાનાજી દેશમુખ આરએસએસ વિચારક
૪૮.૨૦૧૯ભુપેન હજારિકા મહાન ગાયક અને સંગીતકાર

લગભગ 68 વર્ષ પહેલા શરૂ થયેલા આ સર્વોચ્ચ સન્માનથી અત્યાર સુધીમાં 48 હસ્તીઓને સન્માનિત કરવામાં આવી છે.

ભારત રત્ન: પ્રથમ મેળવનાર | The first recipients of the Bharat Ratna

ભારત રત્નના પ્રથમ મેળવનાર હતા:

પ્રથમ મેળવનાર: ભારતના ડોમિનિઅનના છેલ્લા ગવર્નર-જનરલ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન – સી. રાજગોપાલાચારી,

બીજા રાષ્ટ્રપતિ અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ – સર્વપલ્લી રાધાકૃષ્ણન અને નોબેલ પુરસ્કાર વિજેતા

પ્રથમ વૈજ્ઞાનિક : ભૌતિકશાસ્ત્રી સી. વી. રામન; જેનું 1954માં સન્માન કરવામાં આવ્યું હતું.

મરણોત્તર સન્માન મેળવનાર પ્રથમ વ્યક્તિ: પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી

સૌથી યુવા વ્યક્તિ : ક્રિકેટર સચિન તેંડુલકર, જે તે સમયે 40 વર્ષના હતો

સૌથી માટી ઉંમરના જીવિત વ્યક્તિ: સમાજ સુધારક ધોંડો કેશવ કર્વેને તેમના 100મા જન્મદિવસે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

એવોર્ડ મેળવનાર પ્રથમ ગાયક : એમ.એસ. સુબ્બુલક્ષ્મી

એવોર્ડ મેળવનાર પ્રથમ અભિનેતા : એમ.જી. રામચંદ્રન

સામાન્ય રીતે ભારતમાં જન્મેલા નાગરિકોને ભારત રત્ન ( Bharat Ratna) એનાયત કરવામાં આવે છે, એક નેચરલાઈઝ્ડ નાગરિક – મધર ટેરેસા અને બે બિન-ભારતીયને: અબ્દુલ ગફાર ખાન (બ્રિટિશ ભારતમાં જન્મેલા અને બાદમાં પાકિસ્તાનના નાગરિક) અને નેલ્સન મંડેલા મળેલા છે.

વડાપ્રધાન કરે છે રાષ્ટ્રપતિને ભલામણ

ભારત રત્ન (Bharat Ratna) માટેની ભલામણો વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિને કરવામાં આવે છે, જેમાં દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામાંકિતને એનાયત કરવામાં આવે છે. આ એવાર્ડ રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરાયેલ સનદ (પ્રમાણપત્ર) અને પીપલના પાંદડાના આકારનો ચંદ્રક મળે છે. પુરસ્કાર સાથે સંકળાયેલ કોઈ નાણાકીય અનુદાન નથી.

48 વ્યક્તિઓને ભારત રત્ન: જેમાં 14 લોકોને મરણોત્તર

Bharat Ratna પુરસ્કાર 48 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે, જેમાં 14 લોકોને મરણોત્તર એનાયત કરવામાં આવ્યા હતા. મૂળ કાયદામાં મરણોત્તર પુરસ્કારોની જોગવાઈ નહોતી પરંતુ જાન્યુઆરી 1955માં તેને પરવાનગી આપવા માટે સુધારો કરવામાં આવ્યો હતો.

પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી મરણોત્તર સન્માન (Bharat Ratna) મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા.

10 વર્ષમાં આ સન્માન મેળવનારી છઠ્ઠી વ્યક્તિ

મોદી સરકારના લગભગ 10 વર્ષના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં પાંચ વ્યક્તિઓને સર્વોચ્ચ સન્માન (Bharat Ratna) આપવામાં આવ્યું છે. હવે કર્પૂરી ઠાકુર આ સન્માન મેળવનાર છઠ્ઠા વ્યક્તિ હશે.

સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખ પહેલા, મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન વર્ષ 2015માં આ સર્વોચ્ચ સન્માન ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી અને પંડિત મદન મોહન માલવિયાને આપવામાં આવ્યું હતું.

ચાર વર્ષ બાદ છેલ્લી લોકસભા ચૂંટણીના થોડા મહિનાઓ બાદ ત્રણ વ્યક્તિઓને સર્વોચ્ચ સન્માન (Bharat Ratna) આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર બિહારના ત્રીજા વ્યક્તિ

કર્પૂરી ઠાકુર પછાત વર્ગના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા. સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર તેઓ બિહારના ત્રીજા વ્યક્તિ હશે. તેમના પહેલા આ સન્માન (Bharat Ratna) પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને લોકનાયક જયપ્રકાશ નારાયણને આપવામાં આવ્યું હતું.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.