Kinjal Dave : જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે વિવાદ, સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર

0
103
kijal dave
kijal dave

Kinjal Dave : જાણીતી ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈને લઈને સમાજમાં વિવાદ સર્જાયો છે. એક તરફ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજોને સાચવવાની વાત થઈ રહી છે, તો બીજી તરફ યુવાનોના આધુનિક વિચારો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

Kinjal Dave

Intercaste Marriage Controversy: સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં લોકપ્રિય બનેલી સિંગર કિંજલ દવેએ તાજેતરમાં એક બિઝનેસમેન સાથે સગાઈ કરી છે. આ યુવક બ્રહ્મ સમાજનો ન હોવાના કારણે આ સગાઈને આંતરજ્ઞાતિય ગણાવી ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ મુદ્દે કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ હતી.

Kinjal Dave Family Boycott: પરિવારનો સામાજિક બહિષ્કાર

બેઠક દરમિયાન સમાજના આગેવાનો દ્વારા કિંજલ દવેના પિતા અને સમગ્ર પરિવારને સમાજમાંથી આજીવન બહાર કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો. સમાજ દ્વારા પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો, તેમજ સમાજના લગ્નો કે અન્ય સામાજિક પ્રસંગોમાં તેમને આમંત્રણ ન આપવા નિર્ણય લેવાયો છે. સાથે જ જો કોઈ વ્યક્તિ પરિવારને આમંત્રિત કરશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

Kinjal Dave

 Kinjal Dave: પરંપરા સામે આધુનિક વિચારો

આ ઘટનાએ સમાજમાં આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે જૂની પરંપરા અને આધુનિક વિચારસરણી વચ્ચેનો ટકરાવ ફરી એકવાર સ્પષ્ટ કર્યો છે. સમાજના એક વર્ગનું માનવું છે કે જ્ઞાતિગત નિયમો, સંસ્કૃતિ અને પરંપરાનું પાલન કરવું જરૂરી છે, જ્યારે બીજી તરફ યુવક-યુવતીઓને પોતાનું જીવનસાથી પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ તેવી ચર્ચા પણ તેજ બની છે.

લગ્ન અંગત નિર્ણય કે સામાજિક વિષય?

લગ્ન કોઈ પણ વ્યક્તિના જીવનનો અંગત નિર્ણય હોવા છતાં, સમાજ પોતાના ધારા-ધોરણો અને રીતરિવાજ મુજબ ચાલે તેમાં કંઈ ખોટું નથી એવી દલીલ પણ કરવામાં આવી રહી છે. વડીલો દ્વારા સ્થાપિત કરાયેલા નિયમો અને સંસ્કારની વિરાસત જાળવવી જરૂરી હોવાનું એક વર્ગ માને છે, જ્યારે ભણેલા અને સ્વતંત્ર વિચાર ધરાવતા યુવાનોને પોતાની પસંદગીથી જીવન જીવવાનો હક હોવો જોઈએ તેવી લાગણી પણ વ્યાપક બની રહી છે.

Kinjal Dave

Kinjal Dave: ચર્ચાના કેન્દ્રમાં

કિંજલ દવેની સગાઈ મુદ્દે ઊભેલો આ વિવાદ હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના પરંપરા અને આધુનિકતાના સંઘર્ષનું વધુ એક ઉદાહરણ બની રહી છે, જે સમાજમાં લાંબા સમય સુધી ચર્ચા જગાવી શકે છે.

આ પણ વાંચો :Delhi Air Pollution News: દિલ્હીમાં AQI 500 પાર, ઝેરી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ, વિઝિબિલિટી શૂન્ય