Nusrat Bharucha  : ઈઝરાયેલમાં થયેલા અનુભવ વિશે કરી વાત, ‘તે 26/11 જેવું હતું…’

0
222
Nushrat
Nushrat

Nusrat Bharucha, જેણે તાજેતરમાં ફિલ્મ ‘અકેલી’માં અભિનય કર્યો હતો, તે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ દ્વારા 7 ઓક્ટોબરના હુમલા પછી યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિને કારણે ઇઝરાયેલમાં જ ફસાય ગઈ હતી. નુસરત (Nusrat Bharucha) હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજરી આપવા ઇઝરાયેલના પ્રવાસે હતી. અકેલીના નિર્માતા નિનાદ વૈદ્યએ આ પડકારજનક સમયમાં નુસરત (Nusrat Bharucha) એ અનુભવેલા આઘાતજનક અનુભવ પર પ્રકાશ પાડ્યો છે.

 નિનાદ વૈદ્યએ નુસરત ભરૂચાના યુદ્ધગ્રસ્ત ઇઝરાયેલના અનુભવને એક ઇન્ટરવ્યુમાં ઇઝરાયેલમાં નુસરત ભરૂચાએ અનુભવેલા કરુણ અનુભવને શેર કર્યો. તેણે જણાવ્યું કે તેને 7 ઓક્ટોબરની સવારે નુસરતનો ફોન આવ્યો હતો, જેમાં તેને ઈઝરાયેલ પર હુમલાની જાણકારી આપવામાં આવી હતી.

તેમની વાતચીત દરમિયાન, નિર્માતાએ ત્રણ વખત જોરથી એલાર્મ બેલ વગાડવાનો સંભળાયો, જે મિસાઇલ પ્રક્ષેપણનો સંકેત આપે છે અને જે લોકોને બંકરમાં આશ્રય લેવા માટે સુચન કરે છે.

Nushrat Bharucha gets emotional
Nushrat Bharucha gets emotional

પડકારજનક પરિસ્થિતિ હોવા છતાં, ભારતીય દૂતાવાસ અને ટેક્સી ડ્રાઈવરે નુસરતની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તંગ વાતાવરણનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે, 26/11 જેવી ઘટના જેવું લાગ્યું. તમને ખબર નથી હોતી કે કોણ ક્યાંથી આવી રહ્યું છે, કોણ લડી રહ્યું છે.

એરપોર્ટ પર નુસરતને જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે જણાવતા નિનાદે કહ્યું, “એરપોર્ટ પર અંધાધૂંધી હતી. ત્યારે વિચાર આવ્યો કે અમને જે પણ ફ્લાઇટ મળે, તેનો પ્લાન એ હતો કે તેમાં બેસીને ઇઝરાયલથી બહાર નીકળવું, તે જ પ્રથમ પ્રાથમિકતા હતી.”

Nushrat Bharucha
Nushrat Bharucha

આ સમયગાળા દરમિયાન, નુસરત ફોન પર સતત કોન્ટેકટમાં હતી, પરંતુ ત્યાર બાદ તેની ફોનની બેટરી ખતમ થઇ ગઇ હતી. આખરે, તે પહેલા અબુ ધાબી અને પછી ભારત જવા માટે ફ્લાઇટ સુરક્ષિત કરવામાં સફળ રહ્યો. જ્યારે નુસરત હવે સુરક્ષિત છે અને આ ટ્રોમામાંથી બહાર આવી રહી છે.  

ઈઝરાયેલ ઘટના પર નુસરત ભરૂચાનું સત્તાવાર નિવેદન :

ભારત પરત ફર્યા પછી, નુસરત ભરૂચાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સત્તાવાર નિવેદન શેર કર્યું, જેમાં તેણીએ તેના અનુભવની વિગતો આપી.

તેણે કહ્યું,  “છેલ્લું અઠવાડિયું હંમેશા મારી સ્મૃતિમાં કન્ડાઈ જશે… લાગણીઓની રોલર કોસ્ટર રાઈડ, જેમાંના છેલ્લા 36 કલાક મારા જીવનના સૌથી અવિસ્મરણીય અને પડકારજનક હશે…”

નુસરતે એક વિડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તેણીના સલામત પરત સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

બોલીવૂડ અને મનોરંજનને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

‘Cricket Diplomacy’ : ભારત-પાકિસ્તાન દુશ્મનાવટ વચ્ચે ‘ક્રિકેટ ડિપ્લોમસી’નું શું થયું?

ICC Cricket World Cup : પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓને ભારતીય વિઝા (VISA) વિશે માહિતી નથી, મેચની ટિકિટો બરબાદ

ગાઝા પર ‘મોતનો વરસાદ’, જાણો કેવી રીતે ફોસ્ફરસ બોમ્બ ઓક્સિજન સાથે ભળી સર્જે છે વિનાશ

જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો દિવાળી બગડશે ! જાણો ઈઝરાઈલ -હમાસની અસર

ઈઝરાયેલ સૈન્યમાં સામેલ 2 ગુજરાતી દીકરીઓ હમાસ આતંકવાદીઓને આપી રહી છે મુહ તોડ જવાબ

હમાસ (Hamas) શું છે? સશસ્ત્ર પેલેસ્ટિનિયન જૂથ માટે એક સરળ સમજુતી

જાણો હથિયારોના મામલે ઇઝરાઇલના મુકાબલે હમાસ કેટલું તાકાતવર