Iran ના બંદર અબ્બાસમાં ભયાનક વિસ્ફોટ અને આગથી 280 લોકો ઘાયલ થયા. રાજાઈ બંદર પર આ ઘટના બની, જે ઈરાનનું સૌથી વ્યસ્ત બંદર છે. વિસ્ફોટનું કારણ હજુ જાણી શકાયું નથી.

Iran શનિવારે ઈરાનના બંદર અબ્બાસમાં એક ભયાનક વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી ભીષણ આગથી ઓહાપો ફેલાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના દક્ષિણ Iran બંદર શહેરના રાજાઈ બંદર પર બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ એક મહત્વપૂર્ણ વ્યાપાર કેન્દ્ર છે. પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારી મેહરદાદ હસનઝાદેહે સરકારી ટેલિવિઝનને જણાવ્યું હતું કે, વિસ્ફોટમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. ફાર્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, પ્રારંભિક અંદાજ મુજબ ઘાયલોની સંખ્યા 500 થી વધું છે.

જોકે, તેમણે ઘાયલોની ચોક્કસ સંખ્યા અથવા તેમની સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી ન હતી. હસનઝાદેહે એમ પણ કહ્યું કે, બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન, બંદર પર હાજર અન્ય લોકો સલામત સ્થળો તરફ દોડી રહ્યા છે.
દક્ષિણપશ્ચિમ ઈરાનના બંદર અબ્બાસમાં શાહિદ રાજાઈ બંદર પાસે વિસ્ફોટ થયો હોવાનું બહાર આવ્યું છે.

Table of Contents
Blackmailing પત્રકારત્વને નહિ રોકી શકે આતંકવાદીઓના એટેક પછી Swaminarayan જલસો અને ઉત્સવોમાં મશગુલ
પાકિસ્તાનનું ગાંડપણ વધ્યું , શું છે શિમલા કરાર ? જેને સસ્પેન્ડ કરવાની પાકિસ્તાને કરી જાહેરાત
આતંકવાદીયો રાવણ અને કંસ જેવા : શંકરાચાર્ય