ભારત વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક કરશે: અબ્દુલ બાસિત

0
143

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં આતંકી હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. ત્યારથી પાકિસ્તાન ડરી ગયું છે અને ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈકનો ડર તેને સતાવી રહ્યો છે. આ માહિતી ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર રહી ચૂકેલા અબ્દુલ બાસિતે આપી હતી. તેમણે કહ્યું છે કે ભારત ટૂંક સમયમાં બીજી સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. 20 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ભારતીય સૈનિકો પર હુમલો થયો હતો. ત્યારથી સમગ્ર પાકિસ્તાનમાં ચર્ચા છે કે ભારત ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. અબ્દુલ બાસિતે આ અંગે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેણે આ મામલે પોતાની વાત કહી છે.જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ