IndiaPakistanWar #dgmo #india #pakistan #IndoPakBorder #pahalgamattack ભારત-પાકિસ્તાનના DGMO એ હોટલાઈન પર વાતચીત પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ આતંકવાદી ઘટના બાદ પાકિસ્તાન દ્વારા સરહદ પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. હવે ભારતે પાકિસ્તાન તરફથી થઈ રહેલા ગોળીબાર સામે વાંધો ઉઠાવ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે ગઈકાલે હોટલાઇન પર વાત કરી હતી અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન અંગે ચર્ચા કરી હતી. ભારતે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન સામે પાકિસ્તાનને ચેતવણી આપી છે.
ભારત-પાકિસ્તાનના DGMO એ હોટલાઈન પર કરી વાતચીત
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, 29-30 એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરની સામે નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાના સૈનિકોએ ઝડપી અને યોગ્ય રીતે જવાબ આપ્યો.
ભારતે સીઝફાયર ઉલ્લઘન મામલે પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
સેનાએ એમ પણ કહ્યું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા યુદ્ધવિરામ ઉલ્લંઘન હવે નિયંત્રણ રેખા સુધી મર્યાદિત નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદ સુધી પહોંચી ગયા છે.
પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લઘન વધ્યું


Pahalgam આતંકી હુમલાનું ગુજરાત કનેક્શન !! | Power Play 1889 | VR LIVE