India Myanmar Border : ભારત –મ્યાનમાર સરહદ હવે સંપૂર્ણ સીલ,મ્યાનમાર સરહદે બંધ થશે મુક્ત અવરજવર 

0
165
India Myanmar Border
India Myanmar Border

India Myanmar Border:  ભારતની કેન્દ્ર સરકાર દેશની સરહદની સુરક્ષાને લઈને ખુબ જ ગંભીર છે, પાકિસ્તાનથી લઇ બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા પાડોશી દેશોની બોર્ડર સુરક્ષાને લઈને સરકાર કડક નિર્ણયો લઈ રહી છે. તાજેતરમાં જ ભારત-મ્યાનમાર બોર્ડર પર ફેન્સીંગ વાડ બનાવવાની જાહેરાત કર્યા બાદ કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા હવે ભારત અને મ્યાનમાર વચ્ચે થતી મુક્ત અવરજવરને તાત્કાલિક ધોરણે બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે.

India Myanmar Border

India Myanmar Border: કેન્દ્ર સરકાર દ્વારા દેશની આંતરિક સુરક્ષાને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય (MHA) દ્વારા દેશની ઈન્ટરનલ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને મ્યાનમારની સરહદે આવેલા ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચે ફ્રી મૂવમેન્ટ એરેન્જમેન્ટ (FMR) ને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

India Myanmar Border:  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘આપણી સરહદોને સુરક્ષિત કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે. ગૃહ મંત્રાલય (MHA) એ નિર્ણય લીધો છે કે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને મ્યાનમારની સરહદે આવેલા ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચે ફ્રી મૂવમેન્ટ રેજીમ (FMR) નાબૂદ કરવામાં આવશે. વિદેશ મંત્રાલય હાલમાં તેને રદ કરવાની પ્રક્રિયામાં હોવાથી ગૃહ મંત્રાલય દ્વારા FMRને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે.

India Myanmar Border:  અગાઉ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે, ભારતમાં મુક્ત અવરજવરને રોકવા માટે ભારત-મ્યાનમાર સાથેની સરહદ પર વાડ લગાવવામાં આવશે. અમિત શાહે એક એક્સ પોસ્ટમાં લખ્યું હતું કે, મોદી સરકાર અભેદ્ય સરહદો બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકારે સમગ્ર 1643 કિલોમીટર લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સિંગ લગાવવાનો નિર્ણય લીધો છે. સારી દેખરેખની સુવિધા માટે સરહદ પર પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવવામાં આવશે.

India Myanmar Border

India Myanmar Border:  1970માં મુક્ત અવરજવર અંગે સમજુતી થઈ હતી

ઉલ્લખનીય છે કે, 1970માં ભારત-મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવર અંગે સમજુતી થઈ હતી. જેને ફ્રી મુવમેન્ટ રેજીમ (FMR) નામ આપવામાં આવ્યું હતું. જેના પર 2016માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જે અનુસાર બંને દેશોના લોકો કોઈપણ ખાસ ડોક્યુમેન્ટ વગર એકબીજાના દેશમાં અવરજવર કરી શકે છે. ભારતના મણિપુર, મિઝોરમ, અરુણાચલ અને નાગાલેંડ જેવા રાજ્યો FMR હેઠળ આવે છે.

India Myanmar Border

પરંતુ ઘણા સમયથી મ્યાનમારમાં બળવાખોર જૂથોનો આતંક ખુબ વધી ગયો છે. આવા જૂથોએ મ્યાનમારની સરહદની આસપાસના ગામડાઓ કબજે કરી લીધા છે, અને ગેરકાનૂની રીતે ખુલ્લી સરહદના કારણે ભારતમાં પણ પ્રવેશી રહ્યા છે. આ ઉપરાંત મ્યાનમારમાંથી આવતા રોહિંગ્યા મુસ્લિમોના કારણે પણ ભારતમાં  ઘણી સમસ્યાઓ ઉભી થવા પામી છે. જેથી આ પ્રકારના નિર્ણયોથી દેશમાં થતી ઘુષણખોરીને રોકી શકાશે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने