India Energy Crisis:મિડલ ઈસ્ટમાં યુદ્ધની સીધી અસર: ભારત પાસે માત્ર 25 દિવસનો ઓઈલ સ્ટોક, રશિયા બન્યું ‘સંકટ સમયનો સાથી’

0
115
India’s Energy Crisis
India’s Energy Crisis

India Energy Crisis:ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષની અસર હવે ભારતના રસોડા અને ખિસ્સા સુધી પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત પાસે હાલમાં માત્ર 25 દિવસનો ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ ઓઈલનો સ્ટોક બચ્યો છે. ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ કરવાની આપેલી ચેતવણીએ ભારત સહિત સમગ્ર એશિયાની ચિંતામાં વધારો કર્યો છે.

India’s Energy Crisis:શા માટે ભારત માટે સ્થિતિ ગંભીર છે?

India Energy Crisis
  • સપ્લાય ચેઈન ઠપ: દુનિયાના ઓઈલ બિઝનેસ માટે સૌથી મહત્વનો ગણાતો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ રૂટ જો બંધ થાય, તો ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર જઈ શકે છે.
  • આયાત પર નિર્ભરતા: ભારત પોતાની જરૂરિયાતનું 85% ક્રૂડ ઓઈલ આયાત કરે છે, જેનો મોટો હિસ્સો આ જ રૂટ પરથી આવે છે.
  • ખર્ચમાં વધારો: યુદ્ધના કારણે જહાજોના રૂટ બદલવા પડ્યા છે, જેનાથી ટ્રાન્ઝિટ ટાઈમ અને ઈન્શ્યોરન્સ ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે.

India Energy Crisis:રશિયા તરફ ભારતની મજબૂત રણનીતિ

India Energy Crisis

મિડલ ઈસ્ટમાં અનિશ્ચિતતા જોતા ભારત સરકારે ફરી એકવાર રશિયા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે:

  1. વેઈટિંગ ટેન્કર્સની ખરીદી: એશિયન જળસીમામાં ઉભેલા રશિયાના 95 લાખ બેરલ તેલના ટેન્કરો ભારત સીધા ખરીદી શકે છે, જેથી પરિવહનનો સમય બચે.
  2. ડિસ્કાઉન્ટનો ફાયદો: રશિયા ભારતને આંતરરાષ્ટ્રીય કિંમત કરતા સસ્તા દરે તેલ ઓફર કરી રહ્યું છે, જે મોંઘવારી કાબૂમાં રાખવા મદદરૂપ થશે.
  3. ટ્રમ્પની ટેરિફ છૂટ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં જે છૂટ આપી છે, તેનાથી રશિયા પાસેથી તેલ ખરીદવાનો રસ્તો વધુ સરળ બન્યો છે.

India’s Energy Crisis:સામાન્ય જનતા માટે રાહતના સમાચાર

તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પણ રાહતની વાત એ છે કે, કેન્દ્ર સરકારનો હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાનો કોઈ પ્લાન નથી. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ખાતરી આપી છે કે દેશમાં ઈંધણની ઉપલબ્ધતા અને સસ્તા ભાવ જાળવી રાખવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની આશંકા વચ્ચે PM મોદી એક્શનમાં: 48 કલાકમાં 8 વિશ્વ નેતાઓ સાથે વાતચીત