ખોડલ ધામમાં ટૂંકાવસ્ત્ર પહેરીને કોઇ આવી જાય તો તેને કરવુ પડે છે કઇક પ્રક્રીયા, પછી જ થઇ શકે છે દર્શન,જાણો  ટૂંકાવસ્ત્ર વાળા માટે શુ  છે વ્યવસ્થા

0
165
ખોડલધામ
ખોડલધામ

દેશના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ મંદિર માં ટૂંકા વસ્ત્ર કે અભદ્ર લાગતા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહી કરવાના નિયમો બનાવાયા છે, ક્યાક તો ટૂંકા વસ્ત્ર પહેરીને નહી આવવા જેવા  બોર્ડ પણ મારી દેવાયા છે, પણ પરંતુ  ખોડલધામ ખાતે તો જ્યારથી મંદિર ભાવિકોને દર્શનાર્થે ખુલ્લું મુકવામાં આવ્યું હતું ત્યારથી જ ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શને આવવા પર પ્રતિબંધ મૂકાયુ હતુ,,પણ કોઇ ટૂંકા વસ્ત્રો પહેરીને આવી જાય તો પણ તે દર્શન કરી શતે તેના માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે,

ભક્તિ અને શક્તિની ભૂમિ તરીકે વિશ્વ ભરમાં જાણીતા ગુજરાત તીર્થધામ સોમનાથ, દ્વારકા તેમજ ડાકોરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવા દર્શન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. ત્યારે વાત કરીએ સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામની તો અહીં મંદિર દર્શનાર્થીઓ માટે જ્યારથી ખુલ્લું મુકવામાં આવ્યું ત્યારથી જ ટૂંકા વસ્ત્રો પરિધાન કરી દર્શને આવવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.અને જો કોઈ ભૂલથી ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શને આવેલ હોય તો મંદિર ટ્રસ્ટ દ્વારા કપડાંની વ્યવસ્થા કરવામાં આવે છે.

આમ, ખોડલધામ મંદિર જે સ્વયં શિસ્તના ઉદાહરણમાં બેજોડ મનાય છે તે મંદિર દ્વારા આસ્થા સાથે ખીલવાડ સામે પણ પહેલાથી જ કડક પગલું ભરેલ. મંદિરમાં પ્રવેશવાના મુખ્ય દરવાજા પર દર્શનને લઈને કેટલીક સૂચનાઓ લખેલ તેમાં માત્ર સ્ત્રીઓ જ નહીં પણ બહેનો કે ભાઈઓ બંનેએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને અંદર પ્રવેશવાની સખત મનાઈ છે. આવી સૂચના લખેલ છે. એટલે કે ખોડલધામ મંદિરે કંડારેલી કેડીઓ પર હવે બીજા ધાર્મિક સ્થાનકો પણ ચાલવા લાગ્યા છે

દેશના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ મંદિર માં ટૂંકા વસ્ત્ર કે અભદ્ર લાગતા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહી કરવાના નિયમો બનાવાયા છે, ક્યાક તો ટૂંકા વસ્ત્ર પહેરીને નહી આવવા જેવા  બોર્ડ પણ મારી દેવાયા છે, પણ પરંતુ  ખોડલધામ ખાતે તો જ્યારથી મંદિર ભાવિકોને દર્શનાર્થે ખુલ્લું મુકવામાં આવ્યું હતું ત્યારથી જ ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શને આવવા પર પ્રતિબંધ મૂકાયુ હતુ,,પણ કોઇ ટૂંકા વસ્ત્રો પહેરીને આવી જાય તો પણ તે દર્શન કરી શતે તેના માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે,