રામનવમીની શોભાયાત્રામાં SRPકર્મીની રાયફલ લૂંટવાની કોશિશ કરનાર કઇ રીતે થયો ઝબ્બે

0
27

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારા મામલે કાર્યવાહીનો દોરો ચાલુ છે. પથ્થરમારાની ઘટનામાં રાયફલ લૂંટવાની કોશિશ કરનારો ઝડપાયો છે જેઆરોપીએ SRPકર્મીની રાયફલ લૂંટવાની કોશિશ કરી હતી


દેશભરમાં રામનવમીના દિવસે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા હતા. વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે જૂથ અથડામણ સર્જાઈ  હતી. ત્યારે પોલીસે પથ્થમારાની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ ભવન પહોચ્યા અને અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરાઇ હતી. પથ્થરમારા બાદ તંગદિલી ઉભી થવા પામી હતી. પથ્થરમારા બાદ હિન્દુ સંગઠનોનાં કાર્યકરો કારેલીબાગ પોલીસ મથકે એકઠા થયા હતા. જેમાં VHP, બજરંગદળના કાર્યકરો, સ્થાનિકોની ભીડ એકઠી થઈ હતી.