સીએમ યોગીએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક

0
136

સમગ્ર ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ

અતીક અને તેના ભાઈ અશરફની હત્યા બાદ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. ઘટનાસ્થળ પર ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નારાજ હોવાનું કહેવાય છે. તેમણે ઓફિસરોને બોલાવીને સમગ્ર જાણકારી માગી છે.અતિક અને અશરફ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો  જેમાં અતીક અને અશરફના મોત થઈ ગયા છે. સીએમ યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. અતીકની સુરક્ષાને લઈને સવાલો ઉઠયા છે. બે દિવસ પહેલા જ અતીકના દીકરા અસદ અને શૂટર ગુલામનું ઝાંસીમાં એન્કાઉંટર થયું હતું. અતીક અને અશરફની હત્યા હત્યા બાદ સમગ્ર ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.અને મુખ્યમંત્રી યોગી અદિત્યનાથે તમેના તમામ કાર્યક્રમો પણ રદ્દ કરી દીધા હતા