સુરત સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી

0
95

૧૦૦ કેટલા વેન્ટીલેટર્સ ટૂંક જ સમયમાં બગડવાની સ્થિતિમાં

સુરત સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં ૧૦૦ જેટલા વેન્ટીલેટરના હાલ બેહાલ છે. આ વેન્ટીલેટર પીએમ કેયરમાંથી પ્રાપ્ત થયેલ છે. આ વેન્ટીલેટર હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે. વેન્ટિલેટરની યોગ્ય જાળવણી ના થવાના કારણે આ વેન્ટીલેટર્સ ટૂંક જ સમયમાં બગડી શકે છે. કારણ કે, તેને સુરક્ષિત રાખવા માટે યોગ્ય રીતે ઢાંકવામાં પણ નથી આવ્યા. આ વેન્ટીલેટર્સને લઇ સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર ક્યારે અને શું નિર્ણય લે છે તેના પર નજર રહેલી છે.