ગિરનાર રોપ-વેએ રૂ. ૨૦૦૦ની નોટ સ્વીકારવાનું બંધ કર્યું

0
63

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જ્યારથી રૂપિયા રૂ. ૨૦૦૦ની ચલણી નોટ પરત ખેંચવાનું એલાન કર્યું છે ત્યારથી ઘણા લોકોએ રૂ. ૨૦૦૦ની નોટ સ્વીકારવાનું બંધ કરી દીધું છે. તે વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, “ગિરનાર રોપ વેમાં પણ રૂ. ૨૦૦૦ની નોટ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેના લીધે રોપ વે પર આવેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અમુક પ્રવાસીઓને રોપ વેની સફર કર્યા વગર જ પરત ફરવાનો વારો આવ્યો હતો. અહીં રોપ વે સંચાલકો દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે.