અટલ બ્રિજ પર ફ્લોરિંગ કાચમાં તિરાડો પડી

0
132

અમદવાદઃ શહેરના અટલ બ્રિજ પરના ફ્લોરિંગ કાચમાં તિરાડો પડી છે. અટલ બ્રિજ પરના કાચમાં તિરાડો પડતા બેરીકેટ લગાવામાં આવ્યા છે .ત્યારે રિવર ફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે હજુ બ્રિજ બન્યાના 1 વર્ષની અંદર તૂટ્યો કાચ તૂટ્યો છે ત્યારે કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે હાલ બેરિકેટ લગાવી તંત્રએ માન્યો સંતોષ છે. ત્યારે મુલાકાતીઓને કાચથી દૂર રહેવા અપાઇ સૂચના અપાઈ છે .હજુ તો થોડા સમય પહેલાજ રિવરફ્રન્ટ પર  અટલ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો