Valsad Express: ગુજરાતના વલસાડમાં હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. જનરેટર કોચમાં આગ ફાટી નીકળી હતી અને પેસેન્જર કોચમાં ફેલાઈ ગઈ હતી. આગ ઓલવતી વખતે વિસ્ફોટ (Blast in Train) થતા એક RPF કોન્સ્ટેબલનું કરૂણ મોત નીપજ્યું છે.
Valsad Express માં બોગીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન પર વલસાડ એક્સપ્રેસની બોગીમાં બ્લાસ્ટ થતાં એક RPF જવાનનું મોત નીપજ્યું છે. બોગીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આરપીએફની ટીમે આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે કોન્સ્ટેબલ વિનોદ કુમારે નાના ફાયર સિલિન્ડર (fire extinguisher) વડે આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. દરમિયાન આગના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.
અકસ્માત એટલો ભયાનક હતો કે વિનોદ કુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. રેલવે અધિકારીઓએ વિનોદ કુમારને હોસ્પિટલમાં દાખલ કર્યા પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
લોક ખોલતાની સાથે જ થયો સિલિન્ડર બ્લાસ્ટ
Valsad Express સોમવારે સવારે 6.30 વાગ્યે મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન પર આવી હતી. થોડા સમય બાદ ટ્રેનની S-8 બોગીના ટોયલેટમાં આગની જ્વાળાઓ બહાર આવવા લાગી. આગની માહિતી મળતાં જ રેલવે અને આરપીએફની ટીમો અહીં પહોંચી અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું.
આરપીએફ જવાન વિનોદ કુમાર પણ આગ પર કાબૂ મેળવવા માટે પહોંચ્યા હતા. તેણે ફાયર સિલિન્ડર વડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. એક ફાયર સિલિન્ડર ખતમ થઈ ગયો હતો પરંતુ જ્વાળાઓ ઓછી થઈ ન હતી.
દરમિયાન અન્ય ફાયર સિલિન્ડર વડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સિલિન્ડરનું લોક ખોલતાની સાથે જ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં વિનોદ કુમારનું કરૂણ મોત થયું.
વિનોદ કુમારની 2 વર્ષ પહેલા થઇ હતી પોસ્ટીંગ
વિનોદ કુમાર અરાહના રહેવાસી હતા. આરપીએફએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે. આરપીએફના જણાવ્યા અનુસાર કોન્સ્ટેબલ વિનોદ કુમાર આરા નગર વિસ્તારનો રહેવાસી હતો. બે વર્ષથી મુઝફ્ફરપુર આરપીએફ પોસ્ટમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા. તેમના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો