Election Commissioner :ચૂંટણી કમિશનરોની નિમણુક મામલે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચોધરી નારાજ, કહ્યું ; સરકાર જાતે જ નક્કી કરી લે છે  

0
120
Election Commissioner
Election Commissioner

Election Commissioner : ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે આજે નવી દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાન 7, લોકકલ્યાણ માર્ગ ખાતે બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી પણ બેઠકમાં સામેલ થયા હતા. બેઠક બાદ અધીર રંજન ચૌધરીએ ચૂંટણી કમિશનરોની નિમણૂકની પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે સરકારે ચૂંટણી કમિશનરોના નામ પહેલાથી જ ફાઇનલ કરી દીધા છે. અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી છે. નવા ચૂંટણી કમિશનરોના નામની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

Election Commissioner

 Election Commissioner : અધીર રંજન ચૌધરીએ પ્રશ્નો ઉઠાવ્યા

Election Commissioner

Election Commissioner : બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે ‘જેની સરકાર ઈચ્છે છે, તે જ વ્યક્તિ ચૂંટણી કમિશનર બનશે.’ પોતાની નારાજગી વ્યક્ત કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે ‘સરકારની સમિતિમાં બહુમતી છે અને તેના કારણે સરકાર પોતાની પસંદગીના નામ નક્કી કરી શકે છે. ભારત જેવી લોકશાહીમાં આટલા મોટા પદ પર નિમણૂક આ રીતે થવી જોઈએ નહીં. મને મીટિંગની 10 મિનિટ પહેલા છ નામ આપવામાં આવ્યા હતા, તો આટલા ઓછા સમયમાં હું શું કહીશ?

Election Commissioner : અધીર રંજન ચૌધરીએ સૂચવેલા નામોની માહિતી માંગી હતી

બેઠક પહેલા બુધવારે અધીર રંજન ચૌધરીએ કાયદા મંત્રાલયને પત્ર લખીને યાદીમાં સામેલ ઉમેદવારો વિશે દસ્તાવેજો અને માહિતી માંગી હતી. આજે અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે ગઈકાલે તેમને 212 નામ આપવામાં આવ્યા હતા અને આજે મીટિંગની 10 મિનિટ પહેલા છ નામો નક્કી કરવામાં આવ્યા હતા, જેમાંથી બેની પસંદગી કરવામાં આવી હતી.

નોંધનીય છે કે નવા નિયમો અનુસાર ચૂંટણી કમિશનરની નિમણૂક વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કેબિનેટ મંત્રીની બનેલી સમિતિ દ્વારા કરવામાં આવે છે. કાયદા મંત્રાલય દ્વારા વડા પ્રધાનની અધ્યક્ષતાવાળી સમિતિને છ નામોની યાદી સોંપવામાં આવી હતી, જેમાંથી બે નામની જાહેરાત થઈ શકે છે. સમિતિ પાસે સૂચિત નામો સિવાય અન્ય કોઈ અધિકારીને ચૂંટણી કમિશનરના પદ પર નિયુક્ત કરવાનો અધિકાર છે.

Election Commissioner

Election Commissioner : સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં  સુનાવણી કરશે

ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત નવા કાયદાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ પડકાર ADR (એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) દ્વારા આપવામાં આવ્યો છે. એડીઆરએ માંગ કરી છે કે જૂના નિયમોની જેમ ચૂંટણી કમિશનરની નિમણૂક કરતી સમિતિમાં ચીફ જસ્ટિસનો સમાવેશ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ એડીઆરની અરજી પર ટૂંક સમયમાં સુનાવણી કરી શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો