dysp transfer  : લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના 65 dyspની બદલી

0
249
dysp transfer
dysp transfer

dysp transfer  : લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યના 65 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે તેમજ હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ કરનારા 8 આઇપીએસને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, જ્યારે 5 આઈપીએસને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. ઘણા સમયથી ચૂંટણીલક્ષી બદલીઓની રાહ જોવાઈ રહી હતી. એમાં આજે એકસાથે 65 ડીવાયએસપીની બદલી સરકારે કરી દીધી છે.

dysp transfer

dysp transfer  :  લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પોલીસબેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીની કામગીરી સુચારુરુપે થાય તે માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠશ આજે  8 IPS અધિકારીની નિમણુંક અને 65 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. 

જે ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે તેમાં ભગરીથસિંહ વી ગોહિલને ચોકી સોરઠથી ચિખલી ખાતે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત આર બી રાણાને વડોદરાથી જીયુવીએનએલ મહેસાણા ખાતે, અશોક વી રાઠવાને ટ્રાફીક બી ડિવિઝન અમદાવાદથી  વડોદરા ખાતે, એપી જાડેજાને સી ડીવીઝન અમદાવાદથી નાયબ અધ્યક્ષ જેલ રાજકોટ ખાતે અને અમી ચિંતન પટેલને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમદાવાદથી  મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન અમદાવાદ ખાતે મુકવામાં આવ્યા છે.

dysp transfer  : લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત પહેલા બદલી

dysp transfer

dysp transfer  : નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થવામાં હવે ગણતરીનો જ  સમય બાકી છે, ત્યારે ચૂંટણીલક્ષી બદલીઓની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તેમાં પણ ખાસ કરીને જે બદલીઓની રાહ જોવાઇ રહી હતી, તેમાં આજે સાંજે ડિવાયએસપી કક્ષાના 65 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના ડીવાયએસપી મિલાપ પટેલ, સાયબર ક્રાઇમના Dysp જીતુ યાદવ અને અન્ય એક Dyspની અમદાવાદ શહેરમાંથી બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત બીએમ પરમાર જેઓ વડોદરા વિજિલન્સમાં ફરજ બજાવતા હતા તેમને બનાસકાંઠામાં મુકવામાં આવ્યા છે.

dysp transfer

dysp transfer  :  : ગુજરાત કેડરના વર્ષ 2021ની બેંચના આઈપીએસ અધિકારીની તાલીમ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી હૈદરાબાદ ખાતે પૂર્ણ થતા તેમને રાજ્યમાં નિમણુંક આપવામાં આવી છે. જે 8 આઈપીએસ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે તેમાં વલય અંકિત કુમાર વૈધ, અંશૂલ જૈન, લોકેશ યાદવ, ગૌરવ અગ્રવાલ, સંજયકુમાર એસ કેશવાલા, વિવેક પ્રવિણકુમાર ભેડા, સાહિત્યા વી . અને સુબોધ રમેશ માનકરનો સમાવેશ થાય છે. જ્યારે જેમની નિમણુંક કરવાની બાકી છે તેમાં બિશાબા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર અગ્રવાલ, નિધિ ઠાકુરસ સિદ્ધાર્થ  કોરુકોન્ડાનો સમાવેશ થયા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો