Home State Gujarat Driven to Suicide: સુરત ડાયમંડ સિટીની કરુણ ઘટના, 32 વર્ષની વફાદારી સામે...

Driven to Suicide: સુરત ડાયમંડ સિટીની કરુણ ઘટના, 32 વર્ષની વફાદારી સામે ચોરીનો ખોટો આક્ષેપ, કિરણ જેમ્સની પેટા કંપનીના મેનેજરનો આપઘાત; MD સામે ગુનો દાખલ

0
121
Driven to Suicide
Driven to Suicide

Driven to Suicide: સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ કર્મચારીના આપઘાતનો અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની મોટી હીરા કંપનીમાં છેલ્લા ૩૨ વર્ષથી વફાદારીપૂર્વક મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ વાછાણીએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) દ્વારા લગાવાયેલા ચોરીના ખોટા આક્ષેપો અને માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું છે. આ મામલે કેશોદ પોલીસે કંપનીના MD વરુણ લાખાણી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Driven to Suicide

Driven to Suicide: 32 વર્ષની વફાદારી સામે ટેબલ-ખુરશી ચોરીનો આક્ષેપ!

મળતી વિગતો મુજબ, મૂળ માળિયા હાટીનાના જૂથળ ગામના વતની અને હાલ સુરતના કામરેજમાં રહેતા ૫૪ વર્ષીય પ્રવીણભાઈ કાનજીભાઈ વાછાણી વરાછા ખાતે આવેલી ‘કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમટેડ’ની પેટા કંપની ‘અમૃત ટૂલ્સ’માં છેલ્લા ૩૨ વર્ષથી મેનેજર તરીકે ખૂબ જ પ્રામાણિકતાથી નોકરી કરતા હતા.

મૃતકના પુત્ર પ્રિન્સ વાછાણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તાજેતરમાં કંપનીના MD વરુણભાઈ બાબુભાઈ લાખાણીએ પ્રવીણભાઈ ઉપર કારખાનામાંથી લાકડાના ટેબલ, ખુરશી, એમસીબી સ્વિચ અને નેટ કેબલ જેવો સામાન પૂછ્યા વગર લઈ જવાનો આક્ષેપ કર્યો હતો. વાસ્તવમાં આ સામાન ઓફિસના કામ માટે હેડ કર્મચારીની મંજૂરીથી જ લેવાયો હતો અને બાદમાં તે પરત પણ કરી દેવામાં આવ્યો હતો.

MD વરુણ લાખાણી

Driven to Suicide:  ‘તમારી જગ્યાએ બીજાને રાખી લીધા છે…’ અને પ્રવીણભાઈ તૂટી પડ્યા

ટેબલ-ખુરશી પરત કરી દીધા હોવા છતાં, MD વરુણ લાખાણી દ્વારા પ્રવીણભાઈ પર ‘ડાયમંડ પાવડર’ ચોરી કરવાનો નવો ખોટો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. સાથે જ તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની અને સામાજિક રીતે બદનામ કરવાની ધમકીઓ આપી અવારનવાર અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

પિતા ડિપ્રેશનમાં ન આવી જાય તે હેતુથી પુત્ર પ્રિન્સે પિતાને કેશોદના સોંદરડા ગામે તેમના સસરાના ઘરે (મોસાળમાં) મોકલી દીધા હતા. પ્રવીણભાઈ છેલ્લા એકાદ અઠવાડિયાથી ત્યાં જ હતા. આ દરમિયાન કંપનીના હેડનો ફોન આવ્યો કે, તમારી જગ્યાએ બીજા માણસને નોકરી પર રાખી લેવામાં આવ્યો છે.” આ શબ્દો સાંભળતા જ ૩૨ વર્ષથી જે કંપનીને લોહી-પાણી એક કરીને સીંચી હતી, ત્યાંથી આ પ્રકારે હાંકી કઢાતા પ્રવીણભાઈ આઘાત સહન ન કરી શક્યા.

Driven to Suicide: હોસ્પિટલમાં મરણોન્મુખ નિવેદન (DY) લેવાયું, ગઈકાલે દમ તોડ્યો

જૂનાગઢના DYSP હિતેશ ધાંધલિયાએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે, ગત ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ સાંજના સમયે પ્રવીણભાઈએ સોંદરડા ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે સંબંધિત મેજિસ્ટ્રેટ દ્વારા પ્રવીણભાઈનું ડાઇંગ ડેક્લેરેશન’ (મરણોન્મુખ નિવેદન) લેવામાં આવ્યું હતું, જેમાં તેમણે પોતાની સાથે થયેલા અન્યાય અને માનસિક ત્રાસની આપવીતી વર્ણવી હતી. ગઈકાલે સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ તેમનું કરુણ અવસાન થયું હતું. હાલ પોલીસ આ હાઈપ્રોફાઈલ કેસમાં ગુનો નોંધી કડક તપાસ ચલાવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાત ATSનું મોટું ઓપરેશન, અમદાવાદમાંથી ₹8.32 કરોડનું પ્રતિબંધિત ટ્રામાડોલ ડ્રગ્સ ઝડપાયું, મેડિકલ સ્ટોકિસ્ટ પરેશ જૈનની રાજસ્થાનથી ધરપકડ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે