આગામી 18 મહિના દુનિયા માટે ભારે ! જાણો શું કહે છે જ્યોતિષી …

2
110
આગામી 18 મહિના દુનિયા માટે ભારે ! જાણો શું કહે છે જ્યોતિષી ...
આગામી 18 મહિના દુનિયા માટે ભારે ! જાણો શું કહે છે જ્યોતિષી ...

આગામી સમય દુનિયા માટે ભારે રહેશે અને દુનિયાભરના દેશોમાં અશાંતિ જોવા મળે તો નવી નહિ .. કારણકે જાણીતા જ્યોતિષ અને તજજ્ઞોની માનીએ તો તેમને આગામી સમયની ગ્રહોની ચાલ જોઇને કેટલીક આશંકા વ્યક્ત કરી છે. રશિયા યુક્રેન યુધ્ધને પણ લાંબો સમય થવા આવ્યો છે. તેમ છતાં ત્યાં અજંપાભરી સ્થિતિ છે. હળ ઈઝરાઈલ અને હમાસ સંઘર્ષ ચાલી રહ્યો છે અને બે અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે અને બંને વચ્ચે ભીષણ યુદ્ધ સર્જાયા પછી હજારો નાગરિકોના મોત થયા છે અને અ યુદ્ધ થતાની સાથે જ કેટલાક જ્યોતિષી કહી રહ્યા છેકે હમસે જે 7 ઓક્ટોબરે ઈઝરાઈલ પર અચાનક હુમલો કર્યો ત્યારથીજ ત્રીજા વિશ્વયુદ્ધની ચિનગારી ચાંપી દીધી છે. હવે આ યુદ્ધ અગામી સમયમાં ભીષણ થશે કે થાળું પડશે તેતો સમય કહેછે પરંતુ હાલ જ્યોતિષી કહી રહ્યા છે તે માનીએ તો આગામી 18 મહિના અલગ અલગ સ્થળે યુદ્ધ જોવા મળશે . કેટલાકના અનુમાન અનુસાર આ યુદ્ધ ત્રીજા વિશ્વા યુદ્ધ તરફ લઇ જાય છે તેવા એંધાણ છે. જ્યોતિષી અનુસાર શનિ મહારાજ પોતાની રાશિમાં ભ્રમણ કરે છે ત્યારે યુદ્ધ થાય છે. જ્યોતિષ કહી રહ્યા છેકે ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે સમયે બીજું યુદ્ધ મધ્ય એશિયામાં અઝરબૈઝાન અને આર્મોનીયા વચ્ચે થયું. તે સમયે શનિ પોતાની રાશી મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા હતા . હમાસના હુમલા વખતે શનિ મહારાજ પોતાની કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે શનિ 29 માર્ચ 2025 સુધી કુંભ રાશિમાં ભ્રમણ કરશે અને આ સમય દરમિયાન પૃથ્વી પર વિવિધ યુદ્ધ જોવા મળશે.

જાણીતા જ્યોતિષ જે સમીકરણો બતાવે છે તે પ્રમાણે ગૂરૂ રાહુનો ચાંડાલ યોગ હોય અને તેની ઉપર શનિની અશુભ નજર હોય હોય તો પણ યુદ્ધ થઇ શકે છે . હમાસે ઈઝરાઈલ પર હુમલો કર્યો તે દિવસે ગુરૂ રાહુનો ચાંડાલ યોગ ચાલતો હતો . હમસે પોતાના પગપર જ કુહાડો માર્યો છે ગુરૂ રાહુના ચાંડાલ યોગમાં ભલભલા વિવેકભાન ભૂલી જાય છે જયોતિષીઓનું માનીએ તો ગુરૂ ગ્રહ માનવતાવાદી વિશ્વા એક કુટુંબ છે ની વિચારધારાવાળા જેના પીળા રંગના અદ્રશ્ય દિવ્ય સ્પંદનો પૃથ્વી ઉપર શુભતા ફેલાવે છે.

3

જોકે રાહુના છીંકણી કલરના અદ્રશ્ય સ્પંદનો વાતાવરણમાં અરાજકતા ફેલાવે છે. રાહૂ ઉપદ્રવ મચાવવાની વિચારધારા ધરાવે છે. જ્યોતિષીઓના મત પ્રમાણે ઈઝરાઈલ હમાસ યુધ્ધમાં હમાસનું ધનોત પનોત નીકળી જાય તેવા ગ્રહો રચાઈ રહ્યા છે. કારણકે હમસે પોતાના પગ પર કુહાડો માર્યો છે. જ્યોતિષી કહેછેકે અગામી 18 મહિના દુનિયા માટે ભારે છે અને 30 ઓક્ટોબર 2023 સુધી ગૂરૂ રાહુનો ચાંડાલ યોગ રહેશે.

2 COMMENTS

Comments are closed.