હરિયાણામાં ગમખ્વાર અકસ્માત,7 લોકોના મોત

0
70
Gamkhwar accident in Haryana
Gamkhwar accident in Haryana

હરિયાણાના જીંદ જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત

બસ અને ક્રુઝર વચ્ચે અકસ્માત

દુર્ઘટનામાં 7 લોકોના મોત

25 લોકો ઘાયલ થયા

 હરિયાણામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો હરિયાણાના જીંદ જિલ્લામાં બસ અને ક્રુઝર વચ્ચે થયેલી અથડામણમાં 7 લોકોના મોત થયા છે. તે જ સમયે, આ ગમખ્વાર અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત ભિવાની રોડ પર બીબીપુર ગામ પાસે થયો હતો.આ અકસ્માતમાં હરિયાણા રોડવેઝના કંડક્ટરને પણ માથામાં ઈજા થઈ હતી. કંડક્ટરે જણાવ્યું કે ક્રુઝર વાહન એક કારને ઓવરટેક કરી રહ્યું હતું. આ દરમિયાન  કાર બસ સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો. તેમણે કહ્યું કે બસમાં 15-20 મુસાફરો હતા જ્યારે ક્રુઝરમાં 10 લોકો હતા.

હરિયાણામાં ગમખ્વાર અકસ્માતઅકસ્માત બાદ છ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. આ ભિવાની રોડવેઝની બસ છે. આ ઘટનામાં તદેહો વાહનની અંદર ફસાઈ ગયા હતા, જેને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને જીંદ જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ક્રુઝરમાં સવાર લોકોના મોત થયા છે. આમાં કેટલાક બાળકો પણ સામેલ છે.દુર્ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી ગયો હતો.અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે માર્ગ પર ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં.અકસ્માત એટલો ભયાનક હતો કે  અન્ય વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. ત્યારે આ અસ્માતને પગલે ચકચાર મચી ગઈ છે. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે .

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ