દિલ્હીના બીજેપી કિસાન મોરચાના નેતાની ગોળી મારીને હત્યા

0
67

દિલ્હીના દ્વારકા જિલ્લાના મટિયાલા વિસ્તારમાં બીજેપી કિસાન મોરચાના નેતા સુરેન્દ્ર મટિયાલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવતા હડકંપ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર સુરેન્દ્ર મટિયાલાને 6 ગોળી વાગી હતી. આ પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પણ ત્યાં તેમનું મોત થયું છે. દ્વારકા જિલ્લાના મટિયાલા રોડ પર સુરેન્દ્ર મટિયાલા પર અજાણ્યા બાઇક સવાર બદમાશોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બિંદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી.સુરેન્દ્ર મટિયાલા નજફગઢ જિલ્લા કિસાન મોરચાના અધ્યક્ષ હતા અને કોર્પોરેટરની ચૂંટણી પણ લડ્યા હતા.ગઈકાલે સાંજનાં સમયે સુરેન્દ્ર મટિયાલા પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો અને તેમનું મોત થયું.