Chhindwara Tragedy: મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં ગુરુવારે સાંજે એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી એક બસ અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ બસ પલટી ગઈ હતી. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં બસ અને ટ્રકના ડ્રાઈવર સહિત કુલ 9 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

Chhindwara Tragedy: સાંજે 6:30 વાગ્યે સર્જાયો મોતનો તાંડવ
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત છિંદવાડા જિલ્લાના ઉમરાનાલા વિસ્તારમાં સાંજે લગભગ 6:30 વાગ્યે થયો હતો. બસમાં 41 મુસાફરો સવાર હતા અને તે છિંદવાડાથી ઉમરાનાલા તરફ જઈ રહી હતી. પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રક સાથે અથડાયા બાદ બસ રસ્તા પર પલટી ગઈ હતી, જેના કારણે ચીસાચીસ મચી ગઈ હતી.

Chhindwara Tragedy: CMના ‘હિતગ્રાહી સંમેલન’માંથી પરત ફરી રહી હતી બસ
અકસ્માતનો ભોગ બનેલી બસ સૌંસરમાં આયોજિત ‘હિતગ્રાહી સંમેલન’માંથી પરત ફરી રહી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ સામેલ થયા હતા. મુખ્યમંત્રી ડૉ. યાદવ હનુમાન લોકના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવા માટે સૌંસરના જામ સાંવલી પહોંચ્યા હતા.

Chhindwara Tragedy: ભયાનક દ્રશ્યો: એકનો હાથ કપાયો, અનેકને માથામાં ઈજા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અકસ્માત એટલો વિકરાળ હતો કે એક મુસાફરનો હાથ કપાઈને શરીરથી અલગ થઈ ગયો હતો. અનેક મુસાફરોના માથા ફાટી ગયા હતા અને તેઓ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. ઘટનાસ્થળે ડોક્ટરોની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક પહોંચી ગયો હતો અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.

ઘાયલોને જિલ્લા હોસ્પિટલ રિફર કરાયા, કલેક્ટર પહોંચ્યા
તમામ 30થી વધુ ઘાયલોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે છિંદવાડા જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ છિંદવાડા કલેક્ટર હરેન્દ્ર નારાયણ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની સ્થિતિ જાણી અધિકારીઓ તથા હોસ્પિટલ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
બીજા તબક્કામાં 13 એપ્રિલથી રોમાંચ જામશે, 50 મેચ રમાશે; ફાઈનલ 31 મેના રોજ બેંગલુરુમાં




