સીબીઆઇએ બાલાસોર ટ્રેન અકસ્માતમાં શરુ કરી તપાસ-ઘટના સ્થળે પહોચી

0
99

બાલાસોર ટ્રેન અકસ્માત માટે સીબીઆઇ પહોચી

ફેરેન્સિક ટીમે તપાસ શરુ કરી

ઓડિસાના બાલાસોર ટ્રેન દુર્ઘટનાના તપાસ માટે સીબીઆઇની ફોરેન્સિક ટીમ પહોચી છે, જ્યાં તેઓએ ટ્રેક, સિંગ્નલ,ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરલોકીંગ કંટ્રોલ રુમ, સ્ટેશન વિગેરેની તપાસ કરી હતી, તમને જણાવી દઇએ કે 2 જુને બાલાસોર પાસે કોરોમંડલ એક્સપ્રેસનું માલગાડી સાથે ટકરાવવાની અકસ્માત થયુ હતુ, સાથે બેંગલુર હાવડા ટ્રેન પણ આ દુર્ઘટનના ચપેટમા આવી ગઇ હતી જેમા 275 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જ્યારે અગિયારસો લોકો ઘાયલ થયા હતા, આ ઘટનામાં મોદી સરકાર અને રેલવે મંત્રી ઉપર માછલા ધોવાયા હતા, અને રેલવેમા અનેક પ્રકારની ખામીઓ સામે આવી હતી ,,ત્યારે સીબીઆઇ તપાસ આપીને સરકારે આને ષડયંત્રનો એંગલ આપવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સીબીઆઇ તપાસ સામે પણ વાંધો લીધો હતો,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ