નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને બસપા સુપ્રીમો માયાવતીનું સમર્થન

0
44

નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને રાજકારણ બરોબરનું ગરમાયું છે. કોંગ્રેસ-સપા સહીત કુલ ૧૮ વિપક્ષી પાર્ટીઓએ આનો બહિષ્કાર પણ કર્યો છે. જે કહી રહી છે કે, નવા સંસદનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જગ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે કરવામાં આવે. આ માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે. જોકે, તે વચ્ચે બહુજન સમાજવાદીના સુપ્રીમો માયાવતીએ આ મામલે કેન્દ્ર સરકારને સમર્થન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે, “સરકાર સંસદ બનાવી રહી છે તો ઉદ્ગાટન કરવાનો પણ તે હક ધકાવે છે.” ઉદ્ગાટનને આદિવાસી મહિલાના સમ્માન સાથે જોડવાની વિપક્ષની વાતને નકારતા માયાવતીએ કહ્યું છે કે,  “રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દ્રોપદી મુર્મૂની સામે ઉમેદવાર ઉતારતી વખતે આ બાબત ધ્યાનમાં લેવી જોઈતી હતી.કેન્દ્રમાં પહેલા કોંગ્રેસની સરકાર રહી હોય કે હાલમાં ભાજપની હોય, BSPએ દેશ તેમજ જનહિત મુદ્દાઓ પર હંમેશા પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને સમર્થન કર્યું છે. 28 મે ના નવા સંસદ ભવનના ઉદ્ગાટનને પણ પાર્ટી આ જ સંદર્ભમાં જોઈ તેનું સ્વાગત કરે છે. નવા સંસદ ભવનનાં ઉદ્ગાટન સમર્થનમાં જોડાવા માટે મને પણ આમંત્રણ મળ્યું છે જેના માટે હું આભારી છું અને શુભકામના પાઠવું છું,  પરંતુ પાર્ટીની સતત ચાલી રહેલી સમીક્ષા બેઠકો સંબંધિત મારી પૂર્વનિર્ધારિત વ્યસ્તતાને કારણે હું સમારોહમાં જોડાઈ શકીશ નહીં.”