ગુજરાત એસટી વિભાગમાં ભરતી કરાશે

0
52

ડ્રાઈવર અને કંડક્ટરની કરાશે ભરતી

ગુજરાત એસટી દ્વારા ખાલી જગ્યામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે . ડ્રાઈવરની ૨૧૦૦  અને કંડક્ટર ૧૩૦૦ જગ્યાઓની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત મિકેનિકની જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં નોટીફીકેશન બહાર પાડવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની જાણકારી આપી હતી.  ઉલ્લેખનીય છેકે ગુજરાતમાં નવી એસટી બસોની પણ અલગ અલગ ડેપોમાં ફાળવણી કરવામાં આવી રહી છે. અને મુસાફરોને આધુનિક બસ સ્ટેશન સહિતની સુવિધાઓ રાજ્ય સરકાર ઉપલબ્ધ કરવી રહી છે

રાજ્યના યુવાનોને સરકારી નોકરીની ભરતીનો લાભ અગામી સમયમાં મળશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ