ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

0
72

કોંગ્રેસ પર પીએફઆઈને સમર્થન કરવાનો આરોપ

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરેક પક્ષોએ પુરજોશમાં શરુ કર્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ JPનડ્ડાએ કોંગ્રેસ પક્ષ પર આક્ર શાબ્દિક પ્રહાર કાર્ય અને આરોપ લગાવ્યો કે PFI ને કોંગ્રેસ બચાવી રહી છે. અને તેને સમર્થન આપી રહી છે .

ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ હોય કે ભાજપ કે અન્ય પક્ષ એકબીજા પર શાબ્દિક પ્રયોગો દ્વારા એક બીજાને નીચા પાડવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પ્રચાર ચરમસીમાએ પહોચાડ્યો છે. આજે કર્ણાટકમાં રાષ્ટ્રીય પ્રમુખ સહિત અનેક નેતાઓ જાહેર સભાને સંબોધી રહ્યા છે અને ડબલ એન્જીનની ભાજપ સરકાર વિકાસના માર્ગ પર રાજ્યને ફાયદાકારક રહેશે તેવું જણાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદી પણ આજે ચૂંટણી પ્રચાર દરમિયાન મલ્લિકાર્જુન ખડગે પર શાબ્દિક બાણ છોડ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ ……..