ટેટ -2 પરિક્ષાને લઇને આવ્યા મોટા સમાચાર- કેન્દ્રોમાં થયા ફેરફાર

0
57

TET-2 ની પરીક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, TET-2ના પરીક્ષા માટે સંખ્યાબંધ પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. TET-2 પરીક્ષા માટે અમદાવાદ અને વડોદરાના પરિક્ષા કેન્દ્રોમાં ફેરફાર છે. જેને લઈ હવે TET-2ની પરીક્ષા આપતા ઉમેદવારોને નવા પરિક્ષા કેન્દ્રો ધ્યાને આપવા સૂચના અપાઈ છે. ગુજરાતમાં આગામી 23 એપ્રિલના રોજ TET-2 પરીક્ષા યોજાનાર છે. જેને લઈ હવે મોટા સમાચાર એ સામે આવ્યા છે કે, TET-2ના પરીક્ષા માટે સંખ્યાબંધ પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરાયો છે. જેમાં અમદાવાદના 5 તો વડોદરાના 2 પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર છે. આ તરફ હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર બાબતે સૂચના અપાઈ છે