ભાજપને લોકસભા પહેલાં મોટો ઝટકો, AIADMKએ ભાજપ સાથે તોડ્યું ગઠબંધન

0
84
ભાજપ
ભાજપ

તમિલનાડુમાં ભાજપને આંચકો લાગ્યો છે. ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) એ સોમવારે (25 સપ્ટેમ્બર) ભાજપ ના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી. પાર્ટીએ આ અંગે ઠરાવ પસાર કર્યો છે. AIADMK નેતાઓની બેઠક બાદ પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ કહ્યું, “AIADMK આજથી બીજેપી અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહી છે.”

પાર્ટીએ કહ્યું, “છેલ્લા એક વર્ષથી, બીજેપીનું રાજ્ય નેતૃત્વ સતત અમારા ભૂતપૂર્વ નેતાઓ, અમારા મહાસચિવ EPS (એડાપડ્ડી પલાનીસ્વામી) અને અમારા કાર્યકર્તાઓ પર બિનજરૂરી ટિપ્પણીઓ કરી રહ્યું છે. આ ઠરાવ આજની બેઠકમાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.”

AIADMKએ શું કહ્યું?
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, AIADMKએ કહ્યું કે તે 2024ની લોકસભા ચૂંટણીમાં અલગ મોરચાનું નેતૃત્વ કરશે. વાસ્તવમાં અત્યારે દેશમાં બે મોટા ગઠબંધન છે. આમાં એક ભાજપની આગેવાની હેઠળનો એનડીએ છે અને બીજો ‘ઈન્ડિયા’ છે, જે કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટી સહિત 28 પક્ષોનું વિપક્ષી ગઠબંધન છે.

એવા ઘણા પક્ષો છે જે NDA અને ‘ઈન્ડિયા’ બંનેનો ભાગ નથી. તેલંગાણાના સીએમ કેસીઆરની ભારત રાષ્ટ્ર સમિતિ, સાંસદ અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન, ઓડિશાના સીએમ નવીન પટનાયકની બીજુ જનતા દળ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીની વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી સહિત ઘણી પાર્ટીઓ છે

તેજસ્વી યાદવે શુ કહ્યું –

તમિલનાડુંમા એઆઇડીએમકે અને ભાજપ વચ્ચે ગઠબંધન તુટવાને લઇને બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યુ છે કે જો બન્નેનું ગઠબંધન તુટ્યુ છે તો તે તેમનું આતંરિક બાબત છે, તમિલનાડુમાં કોંગ્રેસ ડીએમકે ગઠબંધન મજબુત ,  એનડીએ ગઠબંધનની બેઠક થાય છે પણ તેમા કોઇ પરિણામ નિકળતું નથી, દક્ષિણ ભારતમાંથી ભાજપ સાથે પક્ષો ગઠબંધન તોડી રહ્યા છે, જેનાથી ભાજપને મોટો નુકશાન થશે,  આની પહેલા મહારાષ્ટ્રમાં શિવસેના, બિહારમા જેડીયુ , પંજાબમાં અકાલી દળ ભાજપનું સાથ છોડી ચુક્યુ છે, હવે લાગે છે કે એનડીએનું કોઇ મતલબ નથી, ત્યાં તાનાશાહ લોકો બેઠા છે અને બે લોકો દેશ ચલાવી રહ્યા છે,

પાર્ટીએ કહ્યું, “છેલ્લા એક વર્ષથી, બીજેપીનું રાજ્ય નેતૃત્વ સતત અમારા ભૂતપૂર્વ નેતાઓ, અમારા મહાસચિવ EPS (એડાપડ્ડી પલાનીસ્વામી) અને અમારા કાર્યકર્તાઓ પર બિનજરૂરી ટિપ્પણીઓ કરી રહ્યું છે. આ ઠરાવ આજની બેઠકમાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.”