સચિન પાયલોટના સીએમ અશોક ગેહલોત પર પ્રહાર

0
32

અમે જનતાને વાયદો આપ્યો હતો કે, રાજે સરકારના ભ્રષ્ટાચારને સામે લાવીશું : પાયલોટ

રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સચિન પાયલટે ફરી મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે, “જ્યારે અમે સત્તામાં આવ્યા, ત્યારે અમે કહ્યું હતું કે, વસુંધરા રાજેની સરકારમાં થયેલા ભ્રષ્ટાચારને અમે સામે લાવીશું. તેના કારણે જ લોકોએ અમને મત આપ્યા હતા. હવે ચૂંટણી પહેલા બહુ ઓછો સમય બાકી રહી ગયો છે. કાર્યવાહી થવી જોઈએ. વસુંધરા સરકારમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેના પર અમે પગલાં નહીં લઈએ તો તે ખોટું થશે.”