ચારધામ યાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ

0
63
તમામ વ્યવસ્થા સારી રહે તે માટે અમે સતત પ્રયત્નશીલ : સીએમ ધામી 
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ચાર ધામ યાત્રાને લઈને મહત્વની જાણકારી આપી છે. તેમણે ચારધામ યાત્રાને લઈને કહ્યું છે કે, “તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. છેલ્લા દિવસ સુધી તમામ વ્યવસ્થા સારી રહે તે માટે અમારી સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. શરૂઆતના દિવસોમાં એવું લાગતું હતું કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ચારધામ યાત્રાએ ઓછી સંખ્યામાં દર્શનાર્થીઓ આવશે, પરંતુ અત્યાર સુધીમાં નોંધણીમાં 13 લાખનો આંકડો નોંધાયો છે.”