Air Ambulance Crash: ઝારખંડના ચતરા જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાંચીથી દિલ્હી જઈ રહેલી રેડબર્ડ એરવેઝની એક એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર દર્દી, મેડિકલ સ્ટાફ અને ક્રૂ મેમ્બર સહિત તમામ 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Air Ambulance Crash: ઘટનાની વિગતવાર માહિતી

- સમય: વિમાને રાંચી એરપોર્ટથી સાંજે 7:11 વાગ્યે ઉડાન ભરી હતી.
- સ્થળ: ચતરા જિલ્લાના સિમરિયા વિસ્તારના બરિયાતુ પાસે વિમાન ક્રેશ થયું.
- સંપર્ક તૂટ્યો: રાત્રે લગભગ 7:30 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.
Air Ambulance Crash: કેમ એર એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી?
દુર્ઘટનાનો ભોગ બનેલા દર્દી સંજય કુમાર 65 ટકા જેટલા દાઝી ગયા હતા. રાંચીની દેવકમલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ હાલત ગંભીર હોવાથી વધુ સારી સારવાર માટે તેમને તાત્કાલિક દિલ્હી ખસેડવામાં આવી રહ્યા હતા.
Air Ambulance Crash: દુર્ઘટનાનું કારણ: ખરાબ વાતાવરણ જવાબદાર?

પ્રાથમિક તપાસ અને રાંચી એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ કુમારના જણાવ્યા અનુસાર, આ અકસ્માત પાછળ ખરાબ વાતાવરણ મુખ્ય કારણ હોવાનું મનાય છે.
પાયલોટની છેલ્લી વિનંતી: ઉડાન દરમિયાન વાતાવરણ બગડતા પાયલોટે સલામતી માટે રૂટ બદલવાની માંગ કરી હતી. પાયલોટે આ માટે કોલકાતા ATCનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ નવી સૂચનાઓ મળે તે પહેલા જ 7:34 વાગ્યે વિમાનનો સંપર્ક કાયમ માટે તૂટી ગયો અને પ્લેન જમીનદોસ્ત થયું.
એવિએશન સુરક્ષા પર સવાલો
તાજેતરમાં બારામતીમાં થયેલા વિમાન અકસ્માત બાદ હવે ઝારખંડની આ ઘટનાએ ભારતની એવિએશન સુરક્ષા અને ઈમરજન્સી મેડિકલ સર્વિસિસના પ્રોટોકોલ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. તમામ 7 મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે અને હાલ ઘટનાસ્થળે વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :ગુજરાત ચૂંટણી તંત્રમાં મોટો ફેરફાર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા ‘ચૂંટણી કેપ્ટન’ની એન્ટ્રી!




