Home Gujarat Ahmedabad અમદાવાદના માધુપુરા નીલકંઠ ટ્રેડર્સના ઘીના સેમ્પલમાં મોડું કેમ ?

અમદાવાદના માધુપુરા નીલકંઠ ટ્રેડર્સના ઘીના સેમ્પલમાં મોડું કેમ ?

0
687
અમદાવાદના માધુપુરા નીલકંઠ ટ્રેડર્સના ઘીના સેમ્પલમાં મોડું કેમ ?
અમદાવાદના માધુપુરા નીલકંઠ ટ્રેડર્સના ઘીના સેમ્પલમાં મોડું કેમ ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સ ખાતેથી બે અઠવાડિયા અગાઉ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ પ્રસાદ માટે નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી ખરીદવામાં આવ્યું હતું જે અંબાજી ખાતે જેના સેમ્પલ સેવામાં આવતાભેળસેળ યુક્ત ઘી હોવાનું રીપોર્ટમાં ખુલાસો થયો હતો. અને અંબાજી પોલીસ અમદાવાદ ખાતે મધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સની તપાસ કરવા પહોંચી હતી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડીપાર્ટમેન્ટ દ્વારા 6 ઓક્ટોબરે ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. છતાં આજ દિન સુધી આ સેમ્પલનો રીપોર્ટ આવ્યા નથી અને બે ચાર દિવસમાં રીપોર્ટ આવશે તેવું ગાણું મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડીપાર્ટમન્ટના અધિકારીઓ ગાઈ રહ્યા છે. આજે 18 તારીખ થવા આવી છતાં તંત્ર રીપોર્ટ અંગે જાણે ઢાંકપિછોડો કરતુ હોય તેવું જાણકારો માણી રહ્યા છે. અંબાજી મોહનથાળ પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘી વપરાયું છે તેવા રીપોર્ટ બહાર આવતાજ 4 ઓક્ટોબરે રાત્રીના સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમે માધુપુરા ચોક ખાતે આવેલા નીલકંઠ ટ્રેડર્સના ગોડાઉન અને માધુપુર ઢાળ ખાતે આવેલ નીલકંઠ ટ્રેડર્સ સીલ કરવામાં આવ્યું હતું.

nilkanth

ત્યાર બાદ એક દિવસ પછી 6 ઓક્ટોબરે આજ જગ્યાએથી ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના ફૂડ વિભાગ પાસે અદ્યતન પબ્લિક લેબોરેટરી કાર્યરત છે છતાં આ ઘીના સેમ્પલ વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતા તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની અદ્યતન લેબોરેટરીમાં આ ઘીના સેમ્પલની તપાસ કરીને અગ્રીમતાના ધોરણે રીપોર્ટ જાહેર કરી શકાયો હોત પરંતુ ઘીના સેમ્પલ વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવતા તંત્રની ઢીલી નીતિ સામે આવી છે. જે ચર્ચાનો વિષય પણ બન્યો છે. આપને જણાવી દઈએ કે અગાઉ તેલ બજારમાંથી લીધેલા સેમ્પલમાં શું નીકળ્યું તે પણ નાગરિકો જાણવા માંગે છે પરંતુ તે રીપોર્ટ પર પરદો પડી ગયો છે તેવા તર્ક બજારમાં ચાલી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે અંબાજીના પ્રસાદમાં ઘીની ભેળસેળયુક્ત રીપોર્ટની તપાસના રહસ્યો ખુલશે કે પછી ઢાંકપિછોડો થશે ?

આપને જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવરાત્રીના પર્વ દરમિયાન મોડી રાત્રી સુધી ચાલતા ખાણીપીણી બજારમાં ફૂડના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે અને મણીનગર સહિત શહેરના ચાંદખેડાના અવની ભવન , સરદાર બ્રીજ , ઇન્દિરા બ્રેઈજ નિકોલ ખાતે સ્થળ પરજ કાર્યવાહી કરીને અખાદ્ય પદાર્થો નાશ કરવામાં આવ્યો હતો .

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે