પંજાબના હોશિયારપુર જિલ્લામાં અકસ્માત

0
44

પંજાબના હોશિયારપુર જિલ્લામાં ગુરુવારે સવારે અકસ્માત સર્જાયો હતો. હોશિયારપુર જિલ્લાના ગઢશંકર વિસ્તારમાં ટ્રકની ટક્કરથી આઠ લોકોના મોત થયા છે. અને 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે બૈશાખીના અવસર પર પગપાળા દર્શન કરવા જઈ રહેલા લોકોને ટ્રકે  કચડી નાખતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતકોના મૃતદેહોને કબજામાં લીધા હતા.અને ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.