ખંભાળીયા જામનગર હાઇવે પર કાર-રીક્ષા વચ્ચે અકસ્માત

0
66

અકસ્માતમાં ૩ લોકો ઈજાગ્રસ્ત, તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

ખંભાળીયા જામનગર હાઇવે પર કંચનપુર ગામના પાટીયા પાસે ફોર વ્હીલ કાર અને છકડો રીક્ષા વરચે અકસ્માત સર્જાયો  છે જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતા જ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે ખંભાળીયા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. છકડો રીક્ષા ચાલકને વધુ ઇજાઓ થતા જામનગર ખસેડાયા છે. આ અકસ્માતમાં છકડો રીક્ષાના બે ભાગ જુદા થઇ ગયા હતા. આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થવા પામેલ નથી.