મણિપુરમાં સરકારી ઈમારતમાં લગાવવામાં આવી આગ

0
155

મણિપુરના હિંસાગ્રસ્ત ચુરાચંદપુરમાં અજાણ્યા બદમાશોએ એક સરકારી ઈમારતને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બાદ જ શનિવારથી જિલ્લામાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.અધિકારીએ જણાવ્યું કે, મધ્યરાત્રિના સુમારે તુઇબોંગ વિસ્તારમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરના ઓફિસ બિલ્ડિંગને લોકોના એક જૂથે આગ લગાવી દીધી હતી. આ આગને બુઝાવવા માટે અનેક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં લાખોની સંપત્તિનો નાશ થયો હતો અને ઓફિસના કેટલાક દસ્તાવેજો પણ બળી ગયા હતા.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ