2,810 Sq Metre Land Dispute: મહારાષ્ટ્રના ભાયંદર વિસ્તારમાં ચાલી રહેલા અંદાજે 15 વર્ષ જૂના જમીન વિવાદમાં મહત્વનો ઘટનાક્રમ સામે આવ્યો છે. 81 વર્ષીય અસગર અલી વોરાએ 8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈને ભાયંદર ઈસ્ટની પોતાની જમીન અંગે રજૂઆત કરી હતી. વોરા અને PM મોદી વડનગરની B.N. સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા.

15 વર્ષ જૂના જમીન વિવાદમાં નવો વળાંક
વોરાના જણાવ્યા મુજબ, તેમણે 1989માં ભાયંદર ઈસ્ટના નવઘર વિસ્તારમાં આશરે 2,810 ચોરસ મીટર જમીન ખરીદી હતી. તેમણે 2011માં જમીન સંબંધિત દસ્તાવેજો અને કબજા અંગે વિવાદ ઊભો થયો હોવાનો આક્ષેપ કર્યો હતો અને લાંબા સમયથી વિવિધ સરકારી વિભાગોમાં રજૂઆતો કરી હતી. આ આક્ષેપો અંગે સંબંધિત પક્ષોના અલગ-અલગ દાવા છે.
નરેન્દ્ર મહેતાની મહત્વની જાહેરાત

PM સાથેની મુલાકાત બાદ રાજ્ય સ્તરે અધિકારીઓની બેઠક યોજાઈ હતી. અહેવાલો અનુસાર, BJP ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ વિવાદિત જમીનનો કબજો છોડવા અને તે જમીન માટે આપવામાં આવેલી બાંધકામ મંજૂરી પરત કરવાની જાણકારી આપી છે. તેમણે વોરા સામે અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની પણ વાત કરી છે. બંને પક્ષો વચ્ચે સમાધાન થયાનું જણાવાયું છે.
મહેતાએ પોતાના પત્રમાં જમીન 2019માં મર્વિન ફર્નાન્ડિસ પાસેથી ખરીદવામાં આવી હોવાનો દાવો કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. હવે આ સમગ્ર મામલે સમાધાનની પ્રક્રિયા અને સત્તાવાર કાર્યવાહી પર નજર રહેશે
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: UPIના નવા MDR નિયમો પર રાજકીય ઘમાસાણ, કોંગ્રેસે સરકારને ઘેરી

