Another Mysterious Death in Pakistan: ૨૬ નવેમ્બર ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલા સાથે સંકળાયેલા લશ્કર-એ-તૈયબાના કુખ્યાત આતંકવાદી કારી સઈદ અબ્દુલ-અઝીઝનું પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તે કુબા મસ્જિદની બહાર અચાનક જમીન પર ઢળી પડ્યો હતો, ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું.

Another Mysterious Death in Pakistan: રેસ્ટોરાંમાં જમ્યા બાદ બગડી તબિયત:
રિપોર્ટ્સ મુજબ, મસ્જિદ પહોંચતા પહેલા અઝીઝે એક સ્થાનિક રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું. આ પછી તે નમાજ અદા કરવા માટે મસ્જિદ પહોંચ્યો હતો, જ્યાં તે અચાનક જ નીચે પડી ગયો. જોકે, તેના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને પાકિસ્તાની અધિકારીઓ દ્વારા પણ આ ઘટના અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
Another Mysterious Death in Pakistan: ૨૬/૧૧ હુમલામાં શું હતી અઝીઝની ભૂમિકા?
મૃતક અઝીઝ પર ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ મુંબઈમાં થયેલા ભયાનક આતંકી હુમલાના ષડયંત્રમાં સામેલ હોવાનો ગંભીર આરોપ હતો. આ હુમલામાં લશ્કરના ૧૦ આતંકવાદીઓએ મુંબઈના અનેક મુખ્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, જેમાં ૧૬૬ નિર્દોષ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.
અઝીઝ પર લશ્કર-એ-તૈયબાના એક ખાસ યુનિટને સંભાળવાની જવાબદારી હતી. આ યુનિટ આતંકવાદીઓ વચ્ચેનું સંચાર (કોમ્યુનિકેશન) નેટવર્ક અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સામે માર્યા ગયેલા આતંકવાદીઓના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનું કામ સંભાળતું હતું.
Another Mysterious Death in Pakistan: પાકિસ્તાનમાં લશ્કરના આતંકીઓના રહસ્યમય મોતના સિલસિલો:
અઝીઝનું આ પ્રકારે થયેલું મૃત્યુ એવા સમયે સામે આવ્યું છે જ્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા અને અન્ય આતંકી સંગઠનો સાથે જોડાયેલા ઘણા કુખ્યાત ઓપરેટિવ્સના રહસ્યમય સંજોગોમાં મોત થયાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અગાઉ પણ અલગ-અલગ રહસ્યમય ઘટનાઓમાં ૩૦ થી ૪૦ જેટલા લશ્કર ઓપરેટિવ્સના ખાતમાના અહેવાલો આવ્યા છે. જોકે, અઝીઝના આ અચાનક મોત સાથે આ અન્ય ઘટનાઓનો કોઈ સીધો સંબંધ છે કે નહીં તેની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો