India’s First Hydrogen Train :ભારત આજે પરિવહન ક્ષેત્રે એક નવી અને ઐતિહાસિક છલાંગ લગાવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હરિયાણામાં દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરશે. આ સાથે ભારત જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીન પછી હાઈડ્રોજન ટ્રેન ચલાવનાર વિશ્વનો પાંચમો દેશ બની જશે.
zIndia’s First Hydrogen Train :શું છે આ ખાસ પ્રોજેક્ટ?

આ પ્રથમ હાઈડ્રોજન ટ્રેન હરિયાણાના જીંદ અને સોનીપત રેલવે સ્ટેશન વચ્ચે દોડશે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી મુખ્ય વિગતો નીચે મુજબ છે:
- રૂટ અને સમય: આ ટ્રેન 89 કિમીનું અંતર આશરે 2 કલાકમાં કાપશે.
- સ્પીડ અને ક્ષમતા: 10 કોચ ધરાવતી આ ટ્રેન 14 સ્ટેશનો પર ઉભી રહેશે અને તેની મહત્તમ ઝડપ 75 કિમી પ્રતિ કલાક હશે.
- ટિકિટ દર: મુસાફરીનું ભાડું ₹5 થી ₹25 ની વચ્ચે રાખવામાં આવ્યું છે.
- આર્થિક પાસું: આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹112 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં ટ્રેનનું નિર્માણ અને હાઈડ્રોજન પ્લાન્ટ જેવી સુવિધાઓ સામેલ છે.
India’s First Hydrogen Train :કેવી રીતે કામ કરશે ‘ગ્રીન હાઈડ્રોજન’ ટ્રેન?

આ ટ્રેન પર્યાવરણ માટે અત્યંત સુરક્ષિત છે કારણ કે તે ‘ગ્રીન હાઈડ્રોજન’ પર ચાલશે.
- ઉત્પાદન: જીંદ ખાતે દેશનો પ્રથમ હાઈડ્રોજન સ્ટોરેજ અને રિફ્યુઅલિંગ પ્લાન્ટ તૈયાર કરાયો છે, જ્યાં પાણીમાંથી ઇલેક્ટ્રોલિસિસ ટેકનોલોજી દ્વારા હાઈડ્રોજન બનાવવામાં આવશે.
- ટેકનોલોજી: ટ્રેનની અંદર જ એક નાનું પાવરહાઉસ હશે, જે હાઈડ્રોજનમાંથી વીજળી ઉત્પન્ન કરશે અને તેનાથી ટ્રેન સંચાલિત થશે.
- ક્ષમતા: એકવાર રિફ્યુઅલ કર્યા પછી આ ટ્રેન 356 કિમી સુધી ચાલી શકે છે.
India’s First Hydrogen Train :શા માટે આ રૂટની પસંદગી કરવામાં આવી?
રેલવે મંત્રાલયે જીંદ-સોનીપત રૂટને તેના ઓછા ટ્રાફિક અને દિલ્હી સાથેની નજીકની કનેક્ટિવિટીને કારણે પસંદ કર્યો છે. આ એક નોન-ઇલેક્ટ્રિફાઇડ બ્રોડ-ગેજ રૂટ છે, જે પાયલોટ ટ્રાયલ માટે આદર્શ સાબિત થયો છે.
India’s First Hydrogen Train :ભવિષ્યનું આયોજન: ‘હાઇડ્રોજન ફોર હેરિટેજ’
વડાપ્રધાન મોદીના જીંદ પ્રવાસ દરમિયાન આ ટ્રેન ઉપરાંત 9 અન્ય પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. સરકારની “હાઇડ્રોજન ફોર હેરિટેજ” યોજના અંતર્ગત આગામી સમયમાં દેશના ઐતિહાસિક અને પહાડી વિસ્તારોમાં કુલ 35 હાઈડ્રોજન ટ્રેનો દોડાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, ખાસ કરીને એવા સ્થળોએ જ્યાં વિદ્યુતીકરણ (Electrification) કરવું મુશ્કેલ છે.
આ પ્રોજેક્ટ ભારતના ‘ગ્રીન એનર્જી’ લક્ષ્યાંકો અને આત્મનિર્ભર ભારત તરફનું એક મહત્વનું પગલું માનવામાં આવે છે.
આ પણ વાંચો :ટ્રેનમાં પતિની હત્યા, ૪ લાખમાં સોપારી આપી પત્નીએ જ રચ્યું મોતનું કાવતરું




