Home State Gujarat Tragedy at Girnar: ગિરનાર પર્વત પર કમકમાટીભરી ઘટના, સિંહના હુમલામાં ૧૨ વર્ષના...

Tragedy at Girnar: ગિરનાર પર્વત પર કમકમાટીભરી ઘટના, સિંહના હુમલામાં ૧૨ વર્ષના બાળકનું મોત

0
110
Tragedy at Girnar
Tragedy at Girnar

Tragedy at Girnar: ગિરનાર પર્વત પર યાત્રાધામના પગથિયાં ચઢતી વખતે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની મુલાકાતે આવેલા પરિવારના ૧૨ વર્ષના બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ પર સિંહે તરાપ મારીને તેને જંગલમાં ખેંચી જતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

Tragedy at Girnar

Tragedy at Girnar: શું હતી ઘટના?

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, શનિવારે વહેલી સવારે આશરે પોણા છ વાગ્યે પરિવાર અન્ય યાત્રિકો સાથે ગિરનાર ચઢવાનું શરૂ કર્યું હતું. તેઓ ગેટથી માંડ ૫૦ પગથિયાં જ ચઢ્યા હતા ત્યાં અંધારામાં છુપાયેલા સિંહે પાછળથી મયુરસિંહ પર હુમલો કર્યો હતો.

બાળકના કાકા અનિલકુમારસિંહ નટવરસિંહે જણાવ્યું હતું કે, સિંહે મયુરસિંહને હાથમાંથી ખેંચીને સીધો જંગલ તરફ દોટ મૂકી હતી. ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ત્યારબાદ કરવામાં આવેલી શોધખોળમાં બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો મળી આવ્યા હતા.

Tragedy at Girnar

Tragedy at Girnar: વહીવટી તંત્રની બેદરકારી સામે રોષ

સ્થાનિક લોકો અને પીડિત પરિવાર દ્વારા વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે.

  • અંધારપટ: સીડીઓ પર લાઇટની કોઈ વ્યવસ્થા ન હોવાથી વન્યજીવ અંધારામાં છુપાયેલો હોવા છતાં નજરે પડતો નથી.
  • સુરક્ષાનો અભાવ: સ્થાનિકોના મતે, છેલ્લા ૩-૪ દિવસથી આ સિંહ સીડીઓની આસપાસ જ ફરતો હતો, છતાં કોઈ પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
  • તંત્ર પર આક્ષેપ: ઘટના બાદ વન વિભાગના જવાબદાર અધિકારીઓ (RFO) સમયસર ઘટનાસ્થળે ન પહોંચ્યા હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.
Tragedy at Girnar

Tragedy at Girnar: તંત્ર દ્વારા લેવાયેલા પગલાં

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે: ૧. માર્ગ ડાયવર્ટ: ગિરનારની મુખ્ય સીડીઓ પર હાલ સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે. યાત્રિકોને જટાશંકર નજીકની જૂની સીડીનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. ૨. શોધખોળ અને પાંજરા: હુમલો કરનાર સિંહને પકડવા માટે વન વિભાગની વિવિધ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે અને ઘટનાસ્થળની આસપાસ પાંજરા ગોઠવવામાં આવ્યા છે.

છેલ્લા ૨૫ દિવસમાં આ પ્રકારની ૬ ઘટનાઓ સામે આવી હોવાથી શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભારે ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે. લોકોએ તાત્કાલિક ધોરણે સીડીઓ પર લાઈટની વ્યવસ્થા કરવા અને ચોક્કસ અંતરે વન વિભાગના કર્મચારીઓને તહેનાત કરવાની માંગ કરી છે.

Tragedy at Girnar

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરત પર કુદરતનો કહેર, ખાડીપૂરના પાણીમાં ૩ હજારથી વધુ વાહનો ડૂબ્યા, રિપેરિંગ માટે એક મહિનાનું વેઈટિંગ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે