TMC Collapses in Bengal: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભડકેલો આંતરિક બળવો હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ધારાસભ્યો બાદ હવે સાંસદોએ પણ મમતા બેનર્જીનો સાથ છોડવાનું શરૂ કરી દીધું છે. સોમવારે પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખરે પક્ષના તમામ પદો અને રાજ્યસભા સભ્યપદેથી રાજીનામું આપીને બંગાળના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજીનામું આપ્યા બાદ સુખેન્દુ શેખરે લોકસભાના લગભગ ૨૦ સાંસદો સાથે ગુપ્ત બેઠક કરી હતી. આ બેઠકની એક તસવીર પણ સામે આવી છે, જેમાં શર્મિલા સરકાર, પ્રસુન બેનર્જી, કાલીપદ સોરેન, જગદીશ બસુનિયા અને અરુપ ચક્રવર્તી જેવા અગ્રણી સાંસદો જોવા મળ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે TMCના ૨૧ લોકસભા સાંસદો ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં સામેલ થઈ શકે છે.

TMC Collapses in Bengal: ૧૫ વર્ષનું અરાજક શાસન અને ભ્રષ્ટાચાર જવાબદાર: સુખેન્દુ શેખર
રાજીનામું આપ્યા બાદ સુખેન્દુ શેખરે મમતા બેનર્જીની કાર્યશૈલી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પત્રમાં લખ્યું કે, “પાર્ટીમાં મમતા બેનર્જી મનસ્વી રીતે નિર્ણયો લેતા હતા અને નેતાઓની સલાહ લેવામાં આવતી નહોતી. લોકશાહી ઢબે પક્ષ ચાલતો જ નહોતો.”
તેમણે ઉમેર્યું કે, ઇતિહાસમાં પહેલીવાર બંગાળની જનતાએ ભાજપની તરફેણમાં જે ભવ્ય જનાદેશ આપ્યો છે, તે TMCના ૧૫ વર્ષના અરાજક શાસન, બેફામ ભ્રષ્ટાચાર, મહિલાઓ પરના અત્યાચાર અને કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતાનું પરિણામ છે. આટલી મોટી હાર પછી પણ મમતાએ કોઈ આત્મનિરીક્ષણ કર્યું નથી.
TMC Collapses in Bengal: ‘ચોર, ડાકુ અને વચેટિયાઓ આગળ આવી ગયા’
સુખેન્દુ શેખરે મીડિયા સમક્ષ બળાપો કાઢતા કહ્યું કે, “પક્ષના નિષ્ઠાવાન કાર્યકર્તાઓને બાજુ પર ધકેલી દેવાયા અને વચેટિયાઓ, ચોરો તથા ગુનેગારો આગળ આવી ગયા. કરોડો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી.” તેમણે એક સામાન્ય નાગરિક તરીકે નવી ભાજપ સરકાર પાસે માંગ કરી છે કે છેલ્લા ૫ વર્ષમાં બંગાળની હોસ્પિટલોમાં થયેલી ખરીદીઓનું ફોરેન્સિક ઓડિટ અને તપાસ થવી જોઈએ.
TMC Collapses in Bengal: આંકડાકીય સ્થિતિ અને ગઠબંધન પર અસર:
- સાંસદોમાં ભંગાણ: લોકસભામાં TMC પાસે ૨૮ અને રાજ્યસભામાં ૧૩ સાંસદો છે, જેમાંથી બહુ મોટી સંખ્યા હવે બળવાના મૂડમાં છે.
- ધારાસભ્યોનો મોટો જૂથ અલગ: બંગાળમાં TMCના ૮૦માંથી ૫૮ ધારાસભ્યો ઓલરેડી પોતાનું અલગ જૂથ બનાવી ચૂક્યા છે.
- બળવાખોરોનું સમર્થન: બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીએ સુખેન્દુના રાજીનામાને યોગ્ય ઠેરવતા કહ્યું કે, તેમની વાતો તદ્દન સાચી છે અને પક્ષમાં લાંબા સમયથી ગૂંગળામણ હતી.
આ પણ વાંચો :‘ઇન્ડિયા’ ગઠબંધનની બેઠકમાં ભંગાણ: DMK અને AAPની ગેરહાજરીથી વિપક્ષી એકતા સંકટમાં!




