Govt Relief for Airlines: એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, યુદ્ધના સંકટ વચ્ચે 4000 કરોડના ઇમરજન્સી લોન પેકેજની જાહેરાત

0
174
Govt Relief for Airlines
Govt Relief for Airlines

Govt Relief for Airlines: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન-ઈઝરાયેલ તણાવના કારણે આર્થિક મુશ્કેલીમાં ફસાયેલી ભારતીય એરલાઈન કંપનીઓને રાહત આપવા કેન્દ્ર સરકારે કમર કસી છે. ભારત સરકાર એરલાઈન્સ માટે અંદાજે ₹4,000 કરોડના ‘ઇમરજન્સી લોન પ્રોગ્રામ’ પેકેજની ઓફર કરવા જઈ રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ યુદ્ધના કારણે ખોરવાયેલા ઓપરેશનલ ખર્ચ અને આર્થિક તંગી સામે કંપનીઓને ટકાવી રાખવાનો છે.

Govt Relief for Airlines

Govt Relief for Airlines: શું છે સરકારનો પ્લાન?

નાણાં મંત્રાલયની આ વિશેષ યોજના હેઠળ:

  • દરેક એરલાઈન કંપનીને ₹1,000 કરોડ સુધીની લોન પર સરકાર પોતે ગેરંટી આપશે.
  • જો કંપનીના માલિકો પોતાની રીતે રોકાણ કરવા તૈયાર હોય, તો તેમને વધારાની ₹500 કરોડની લોન પણ મળી શકે છે.
  • સરકાર માત્ર લોન પર ગેરંટી આપશે, પરંતુ બેંકો ધિરાણ આપતા પહેલા કંપનીની નાણાકીય સ્થિતિની સંપૂર્ણ તપાસ કરશે.
Govt Relief for Airlines

Govt Relief for Airlines: સ્પાઈસ જેટ (SpiceJet) ને સૌથી વધુ જરૂર

આ પેકેજનો સૌથી મોટો લાભ સ્પાઈસ જેટ જેવી કંપનીઓને મળી શકે છે, જે હાલમાં રોકડની ભારે તંગીનો સામનો કરી રહી છે. સ્પાઈસ જેટના અંદાજે 37 વિમાનો સ્પેરપાર્ટ્સ અને લીઝના નાણાં ન ચૂકવવાને કારણે ગ્રાઉન્ડ થઈ ગયા છે. કંપની તેના કર્મચારીઓને પગાર આપવામાં પણ મુશ્કેલી અનુભવી રહી છે, ત્યારે આ લોન પેકેજ તેના માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે.

Govt Relief for Airlines: યુદ્ધના કારણે એરલાઈન્સ કેમ મુશ્કેલીમાં?

  1. રૂટ ડાયવર્ઝન અને મોંઘું ફ્યુલ: યુદ્ધના કારણે હવાઈ રૂટ બદલવા પડતા ઇંધણનો વપરાશ વધ્યો છે, સામે જેટ ફ્યુલ (ATF) ના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.
  2. ખાડી દેશોની ફ્લાઈટ્સમાં ઘટાડો: ભારતીય એરલાઈન્સની સૌથી વધુ કમાણી મધ્ય પૂર્વ (Gulf Countries) ના રૂટ પરથી થાય છે. દુબઈ જેવા મોટા એરપોર્ટ્સ પર ઉડાન મર્યાદિત કરાતા કમાણીને મોટો ફટકો પડ્યો છે.
  3. અનિશ્ચિતતા: ભલે અમેરિકા અને ઈરાન વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામની વાતો ચાલી રહી હોય, પરંતુ હજુ પણ અનિશ્ચિતતા જળવાયેલી હોવાથી ફ્લાઈટ્સ પૂર્વવત શરૂ થઈ શકી નથી.

Govt Relief for Airlines: બેંકોનો સાવચેતીભર્યો અભિગમ

ભૂતકાળમાં જેટ એરવેઝ (Jet Airways) અને ગો ફર્સ્ટ (Go First) જેવી મોટી કંપનીઓ બંધ થઈ જવાથી બેંકો હવે એરલાઈન સેક્ટરને લોન આપવામાં ખૂબ જ સાવધાની રાખી રહી છે. આ સ્થિતિમાં સરકારની ગેરંટી મળવાથી બેંકો લોન આપવા માટે આગળ આવશે, જે એરલાઈન્સના અસ્તિત્વ માટે અત્યંત જરૂરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

શેરબજારમાં બુલ રન, સેન્સેક્સ 1300 પોઈન્ટ ઉછળી 78,000ને પાર, રોકાણકારોની અંધાધૂંધ ખરીદી