Kharge Backtracks: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી ‘અભણ’ વાળી ટિપ્પણીએ દેશભરમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપ દ્વારા આ નિવેદનને ‘ગુજરાતી અસ્મિતા’ના અપમાન સાથે જોડીને રાજ્યવ્યાપી આક્રોશ પ્રદર્શિત કરવામાં આવ્યા બાદ, અંતે ખડગેએ સોશિયલ મીડિયા પર ખુલાસો કરી દિલગીરી વ્યક્ત કરવી પડી છે.

Kharge Backtracks: ખડગેની સફાઈ: “કોઈની લાગણી દુભાવવાનો હેતુ નહોતો”
ચારેતરફથી ઘેરાયેલા મલ્લિકાર્જુન ખડગેએ એક્સ (X) પર પોસ્ટ કરતા લખ્યું કે, “ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે. મારો હેતુ કોઈની પણ લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો.” જોકે, ભાજપે આ ખુલાસાને પૂરતો ગણાવ્યો નથી અને સવાલ ઉઠાવ્યો છે કે નિવેદન આપતી વખતે જ માફી કેમ ન માંગી?

Kharge Backtracks: વિવાદનું મૂળ: શું કહ્યું હતું ખડગેએ?
ગયા રવિવારે કેરળના ઈડુક્કીમાં એક ચૂંટણી સભાને સંબોધતા ખડગેએ કહ્યું હતું કે:
“મોદીજી અને પિનરાઈ વિજયન કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી કારણ કે તેઓ શિક્ષિત અને સ્માર્ટ છે. તમે ગુજરાતમાં અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પણ કેરળમાં નહીં.”
ભાજપનો આક્રમક પ્રહાર: “આ ગાંધી-સરદારની ભૂમિનું અપમાન”
ખડગેના આ નિવેદન બાદ ભાજપના નેતાઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા:
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: તેમણે જણાવ્યું કે ખડગેએ સાડા છ કરોડ ગુજરાતીઓ સહિત ગાંધી અને સરદારની પવિત્ર ભૂમિનું અપમાન કર્યું છે.
- સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ: તેમણે આને ખડગેની ‘મૂર્ખતા’ ગણાવતા કહ્યું કે, જે રાજ્ય દેશની જીડીપીમાં 8% ફાળો આપે છે અને જેની બુદ્ધિશક્તિનો લોખંડ આખું વિશ્વ માને છે, તેને અભણ કહેવા તે કોંગ્રેસની હતાશા છે.
- ડો. અનિલ પટેલ (ભાજપ પ્રવક્તા): તેમણે સવાલ કર્યો કે ખડગે વારંવાર ઝેરીલા સાપ કે નાગ જેવા શબ્દોનો પ્રયોગ કેમ કરે છે?
Kharge Backtracks: રાજકીય વિશ્લેષણ: ચૂંટણી ટાણે કોંગ્રેસને નુકસાનની ભીતિ
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે, ત્યારે ખડગેનું આ નિવેદન કોંગ્રેસ માટે ‘પગ પર કુહાડો મારવા’ સમાન સાબિત થઈ શકે છે. ભાજપ આ મુદ્દાને દરેક ઘર સુધી લઈ જઈને કોંગ્રેસની ‘ગુજરાત વિરોધી’ માનસિકતા ખુલ્લી પાડવાની રણનીતિ બનાવી રહ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




