Gujarat IAS Cadre Strength Increased:રાજ્યના વહીવટી માળખાને વધુ મજબૂત કરવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત માટે IAS (ભારતીય વહીવટી સેવા) કેડરની સંખ્યામાં મહત્વનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રના પર્સનલ અને ટ્રેનિંગ વિભાગ (DoPT) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ગેઝેટ નોટિફિકેશન અનુસાર, ગુજરાત કેડરમાં હવે IAS અધિકારીઓની કુલ સંખ્યા 313થી વધીને 328 થઈ ગઈ છે.
Gujarat IAS Cadre Strength Increased:વહીવટી માળખામાં થયેલા મુખ્ય ફેરફાર:
- 15 નવી જગ્યાઓનો ઉમેરો: રાજ્યમાં કુલ 15 નવી IAS જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.
- સીધી ભરતી અને બઢતી: આ વધારામાં યુપીએસસી (UPSC) દ્વારા સીધી ભરતી (Direct Recruit) અને રાજ્ય મુલ્કી સેવા (GAS) માંથી બઢતી મેળવતા અધિકારીઓનો સમાવેશ થાય છે.
- સિનિયર પોસ્ટમાં વધારો: રાજ્યમાં સિનિયર ડ્યુટી પોસ્ટ્સની સંખ્યા પણ 161થી વધીને હવે 169 કરવામાં આવી છે.
Gujarat IAS Cadre Strength Increased:શા માટે લેવાયો આ નિર્ણય?
કેડર રિવ્યુની આ પ્રક્રિયા વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવી છે. ગુજરાતમાં સતત વધી રહેલું શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સના સમયસર અમલીકરણ માટે વધુ અનુભવી અધિકારીઓની જરૂરિયાત જણાતી હતી. નવા અધિકારીઓના ઉમેરાથી જિલ્લા સ્તરે અને સચિવાલયની કામગીરીમાં વધુ ગતિ આવશે.
કેડર રિવ્યુનું મહત્વ
સામાન્ય રીતે દર પાંચ વર્ષે કેડર રિવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ગુજરાતમાં વહીવટી જવાબદારીઓનું ભારણ વધતા રાજ્ય સરકાર દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેને કેન્દ્ર સરકારે ગ્રાહ્ય રાખીને નોટિફિકેશન જારી કર્યું છે.



આ પણ વાંચો :અમદાવાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: 27 PIની બદલી, લાંબા સમયથી ‘લીવ રિઝર્વ’માં રહેલા 8 અધિકારીઓને પોસ્ટિંગ




