Leaders Lost in the Sky:આકાશમાં અધૂરી રહી ગયેલી રાજકીય સફરો ભારતના રાજકીય ઇતિહાસની કાળી તારીખોની યાદ

0
123
Leaders Lost in the Sky
Leaders Lost in the Sky

Leaders Lost in the Sky:ભારતના રાજકીય ઇતિહાસમાં એવી અનેક દુઃખદ ઘટનાઓ નોંધાયેલી છે, જ્યારે દેશે પોતાના તેજસ્વી અને લોકપ્રિય નેતાઓને જમીન પર નહીં, પરંતુ આકાશમાં ગુમાવ્યા છે. હેલિકોપ્ટર અને વિમાન દુર્ઘટનાઓમાં અનેક કદાવર નેતાઓની સફર અચાનક જ અધૂરી રહી ગઈ.

તાજેતરમાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અજિત પવારના આકસ્મિક નિધને ફરી એકવાર આ દુખદ ઇતિહાસને યાદ અપાવ્યો છે. ચાલો નજર કરીએ એવા નેતાઓ પર, જેમની રાજકીય યાત્રા હવામાં જ થંભી ગઈ.

Leaders Lost in the Sky: હવાઈ દુર્ઘટનામાં નિધન પામેલા નેતાઓ

🔹 સંજય ગાંધી (1980)

Leaders Lost in the Sky


કોંગ્રેસના યુવા અને ચર્ચિત નેતા સંજય ગાંધીનું 23 જૂન 1980ના રોજ દિલ્હીના સફદરજંગ એરપોર્ટ પાસે વિમાન અકસ્માતમાં અવસાન થયું. તેઓ પોતે વિમાન ઉડાવી રહ્યા હતા અને હવાઈ કરતબ દરમિયાન નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ.

🔹 માધવરાવ સિંધિયા (2001)

Leaders Lost in the Sky


કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગ્વાલિયરના રાજવી માધવરાવ સિંધિયાનું 30 સપ્ટેમ્બર 2001ના રોજ ઉત્તર પ્રદેશના મેનપુરી પાસે ખાનગી વિમાન ક્રેશમાં મોત થયું. ભારે વરસાદ અને ટેકનિકલ ખામીને અકસ્માતનું કારણ માનવામાં આવ્યું.

🔹 વિજય રૂપાણી (2025-26)

Leaders Lost in the Sky


ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ નજીક એર ઇન્ડિયાના વિમાન અકસ્માતમાં નિધન થયું. તેમના અવસાનથી રાજ્યના રાજકારણમાં મોટો ખાલીપો સર્જાયો.

🔹 નેતાજી સુભાષ ચંદ્ર બોસ (1945)

9


18 ઓગસ્ટ 1945ના રોજ તાઇવાનમાં જાપાનીઝ વિમાન દુર્ઘટનામાં નેતાજીનું અવસાન થયું હોવાનું માનવામાં આવે છે. જોકે, આ ઘટના આજે પણ ઇતિહાસની સૌથી વિવાદાસ્પદ ઘટનાઓમાંની એક છે.

🔹 મોહન કુમાર મંગલમ (1973)

Leaders Lost in the Sky


ઇન્દિરા ગાંધી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહેલા મંગલમનું 31 મે 1973ના રોજ દિલ્હી એરપોર્ટ પાસે ઇન્ડિયન એરલાઇન્સના વિમાન અકસ્માતમાં મોત થયું.

🔹 જી.એમ.સી. બાલયોગી (2002)

Leaders Lost in the Sky


લોકસભાના પૂર્વ સ્પીકર અને TDP નેતા બાલયોગીનું આંધ્રપ્રદેશમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું. ખરાબ હવામાન અકસ્માતનું મુખ્ય કારણ હતું.

🔹 વાય.એસ. રાજશેખર રેડ્ડી (2009)

Leaders Lost in the Sky


આંધ્રપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી YSR રેડ્ડીનું નલ્લામલા જંગલોમાં હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું. 24 કલાક બાદ તેમનો દેહ મળ્યો હતો.

🔹 દરા નાતુંગ (2001)
અરુણાચલ પ્રદેશના શિક્ષણ મંત્રી દરા નાતુંગનું પવન હંસ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું.

🔹 ઓ.પી. ઝિંદાલ અને સુરેન્દ્ર સિંહ (2005)

Leaders Lost in the Sky


હરિયાણાના મંત્રી ઓ.પી. ઝિંદાલ અને કૃષિ મંત્રી સુરેન્દ્ર સિંહનું સહારનપુર પાસે હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું.

🔹 સાયરિયન સાંગ્મા (2004)
મેઘાલયના રાજ્ય મંત્રી સાયરિયન સાંગ્માનું શિલોંગ નજીક હેલિકોપ્ટર અકસ્માતમાં અવસાન થયું.

🔹 દોર્જી ખાંડુ (2011)
અરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી દોર્જી ખાંડુનું ભયાનક હવામાન વચ્ચે હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું. પાંચ દિવસ બાદ તેમના અવશેષો મળ્યા હતા.

🕯️ અજિત પવાર (2026)

Leaders Lost in the Sky

આ કાળી યાદીમાં હવે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અજિત પવારનું નામ પણ જોડાઈ ગયું છે. બારામતી નજીક થયેલા ભયાનક વિમાન અકસ્માતમાં તેમણે અને તેમના સાથીઓએ જીવ ગુમાવ્યા. 2025ની ચૂંટણી બાદ રાજ્યના વિકાસ માટે જોયેલા તેમના સપનાઓ અધૂરા રહી ગયા.

આ પણ વાંચો :Ajit Pawar Died News : મહારાષ્ટ્રમાં શોકનો માહોલ: ડેપ્યુટી CM અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન, કુલ 5 લોકોના મોત