Home Desh Jagdish Vishwakarma:પંજાબ કેસરી પરની કાર્યવાહી મુદ્દે ભાજપ આક્રમક, જગદીશ વિશ્વકર્માનો AAP અને...

Jagdish Vishwakarma:પંજાબ કેસરી પરની કાર્યવાહી મુદ્દે ભાજપ આક્રમક, જગદીશ વિશ્વકર્માનો AAP અને TMC પર તીખો પ્રહાર

0
301
Jagdish Vishwakarma
Jagdish Vishwakarma

Jagdish Vishwakarma:પંજાબમાં ‘પંજાબ કેસરી’ અખબારના કાર્યાલય પર થયેલી પોલીસ કાર્યવાહી અને મીડિયા કર્મચારીઓ સાથે થયેલા વર્તનને લઈને ગુજરાત ભાજપ આક્રમક મૂડમાં આવી ગયું છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આમ આદમી પાર્ટી (AAP) અને પંજાબની ભગવંત માન સરકાર પર કડક શબ્દોમાં નિશાન સાધ્યું છે.

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મીડિયા એ સમાજનું દર્પણ છે, અને આ દર્પણ તોડવાનું કામ અરવિંદ કેજરીવાલ અને તેમની સરકાર કરી રહી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે મીડિયાનો અવાજ દબાવવાનો કોઈ પણ પ્રયાસ લોકશાહીના મૂળ પર હુમલો છે અને ભાજપ આ પ્રકારની કાર્યવાહી ક્યારેય સહન કરશે નહીં.

Jagdish Vishwakarma

Jagdish Vishwakarma: ‘મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ’

Jagdish Vishwakarma

વિશ્વકર્માએ આરોપ લગાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં બહુરુપિયા રાજનીતિ કરી અને હવે પંજાબની જનતાને પણ છેતરી રહી છે. પંજાબમાં જે ઘટનાઓ બની રહી છે તે ભારતના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે એવી છે. મીડિયા કર્મચારીઓને માર મારવો, વેબ ચેનલો પર રેડ પાડવી અને પત્રકારોને ધમકાવવું એ સત્તાના નશાનું સ્પષ્ટ ઉદાહરણ છે.

તેમણે ઉમેર્યું કે, કેજરીવાલના ‘શીશ મહેલ’ અંગે રિપોર્ટિંગ કરવાના કારણે એક મહિલા પત્રકાર પર ખોટી કાર્યવાહી કરવામાં આવી, જે પ્રેસ સ્વતંત્રતાને દબાવવાનો ખુલ્લો પ્રયાસ છે.

Jagdish Vishwakarma:પશ્ચિમ બંગાળમાં TMC સરકાર પર પણ નિશાન

પશ્ચિમ બંગાળની સ્થિતિ અંગે બોલતા જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, બંગાળ હવે ભય, અराजકતા અને રાજકીય હિંસાની પ્રયોગશાળા બની ગયું છે. સરકારી કર્મચારી અશોક દાસને આત્મહત્યા કરવી પડે તેવી પરિસ્થિતિ TMCના નેતાઓએ ઊભી કરી છે.

તેમણે વધુમાં આરોપ મૂક્યો કે, બંગાળમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘુસણખોરોને બચાવવાની રાજનીતિ ચાલી રહી છે, જે રાજ્ય અને દેશની સુરક્ષા માટે ગંભીર ખતરો છે.

Jagdish Vishwakarma:ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના અંગે પ્રતિક્રિયા

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને લઈને પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વિશ્વકર્માએ કહ્યું કે, ગોપાલ ઇટાલિયા લોકોનું ધ્યાન ખેંચવા માટે આવા નાટકો કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે હવે મીડિયા પણ તેમની વાતોમાં રહેલી અસત્યતા સમજી ગયું છે.

હાલ વડોદરાના પાંચ ધારાસભ્યો સંકલન સમિતિમાં સામેલ ન થયા હોવાના મુદ્દે તેમણે કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચો :Vande Bharat Sleeper:દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ, PM મોદીએ માલદાથી બતાવી લીલી ઝંડી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે