Home Desh Pakistan  : સિંધ ‘ભવિષ્યમાં ભારતમાં આવી શકે’– રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં રાજકીય...

Pakistan  : સિંધ ‘ભવિષ્યમાં ભારતમાં આવી શકે’– રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં રાજકીય તોફાન #rajnathsinh , #pakistan , #sindh ,

0
345
Pakistan
Pakistan

Pakistan  : #rajnathsinh , #pakistan , #sindh ,ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા સિંધના ભવિષ્યમાં ભારતમાં પુનઃવિલય અંગે કરાયેલા નિવેદન બાદ પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાન આ નિવેદનને ‘વિસ્તારવાદી હિન્દુત્વ વિચાદારાના ભાગરૂપે’ ગણાવી રહ્યું છે, જ્યારે ભારત તરફથી સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી.

Pakistan

Pakistan  : રાજનાથ સિંહે શું કહ્યું?

દિલ્હીમાં સિંધી સમાજના એક કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે:

ભલે આજે ભૌગોલિક રીતે સિંધ ભારતનો ભાગ નથી, પરંતુ સંસ્કૃતિની દ્રષ્ટિએ સિંધ હંમેશાં ભારતનું અભિન્ન અંગ રહ્યું છે. ભવિષ્યમાં સિંધ ફરી ભારતમાં આવી શકે છે.”

તેમણે એ પણ કહ્યું કે તેમની પેઢીના સિંધી હિન્દુઓએ 1947 પછી સિંધના પાકિસ્તાનમાં વિલયને ક્યારેય મનથી સ્વીકાર્યો નથી. આ નિવેદન પ્રકાશિત થતાં જ પાકિસ્તાનના રાજકીય અને કૂટનીતિક ચક્રો સક્રિય થઈ ગયા છે.

Pakistan  : પાકિસ્તાનની કડક પ્રતિક્રિયા

આ નિવેદન પર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તીવ્ર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે:

Pakistan

આવી ભાષા વિસ્તારવાદી હિન્દુત્વ વિચારધારાનું પ્રતિબિંબ છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા, માન્ય સરહદો અને રાજ્યોની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરે છે.”

પાકિસ્તાને ભારતીય નેતાઓને “ઉશ્કેરણીજનક નિવેદનોથી દૂર રહેવાની” સલાહ આપી છે અને દાવો કર્યો છે કે આવા નિવેદનોથી પ્રદેશની શાંતિ-સ્થિરતાને જોખમ ઊભું થઈ શકે છે.

Pakistan  : ભારતને પાકિસ્તાનની ‘વણમાગી સલાહ’

પ્રતિક્રિયામાં પાકિસ્તાન એટલું જ નહીં, પરંતુ ભારતને આંતરિક મુદ્દાઓ પર ધ્યાન આપવા પણ કહે છે. તેમના જણાવ્યા મુજબ:

  • ભારતે પોતાના લઘુમતી સમુદાયોનું રક્ષણ કરવું જોઈએ
  • પૂર્વોત્તર રાજ્યોમાં લોકો ઓળખ આધારિત અત્યાચાર અને સરકારી હિંસાનો સામનો કરી રહ્યા છે
  • અને પરંપરાગત રીતે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો

Pakistan  : રાજનીતિક હલચલ તીવ્ર

Pakistan

રાજનાથ સિંહના નિવેદનને ભારતમાં સંસ્કૃતિક-ઇતિહાસિક સંદર્ભો સાથે જોઈ રહ્યાં છે, જ્યારે પાકિસ્તાન તેને પ્રાદેશિક અસુરક્ષા અને ભારતની ‘વિસ્તારવાદી નીતિ’ તરીકે દર્શાવી રહ્યું છે. બંને દેશો વચ્ચે કૂટનીતિક તણાવનાં આ નવા તબક્કાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા જગાવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી નીચે ક્લિક કરો

India vs Pakistan News:દિલ્હી બ્લાસ્ટ પર સેનાધ્યક્ષનો સખત સૂર ‘પાકિસ્તાનને ખબર પડી ગઈ છે કે ભારતને હરાવી શકતું નથી

Table of Contents

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે