congress khedut sabha :farmer,#gujrat,#amitchavda,કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. ખેડૂતોને થયેલા ભારે નુકસાનને પગલે રાજ્ય સરકારે પણ તાબડતોડ સરવે કરી સહાય પેકેજ જાહેર કરવાની તૈયારી કરી લીધી છે. એક તરફ AAPની સક્રિયતા ને બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ત્યારે હવે કોંગ્રેસ પણ ખેડૂત આક્રોશ યાત્રા કાઢી રહી છે. શું છે સમગ્ર વિગત આવવો વિગતવાર જોઈએ ,,

congress khedut sabha : આવતીકાલ(6 નવેમ્બર)થી ગીર સોમનાથી કોંગ્રેસ અમિત ચાવડાની આગેવાનીમાં ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરવા જઈ રહી છે. આ યાત્રાનું ગીર સોમનાથથી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર થઈ દ્વારકામાં સમાપન થશે.

congress khedut sabha : સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં આ યાત્રા ફરશે
કોંગ્રેસે પ્રદેશ નેતાઓને જવાબદારી પણ સોંપી દેવાઈ છે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ ખેડૂતોની વેદના જાણવા ખેતર સુધી જશે અને નાની-મોટી સભાઓ કરી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે. ખેડૂત હિતની વિવિધ માંગણીઓ પણ કોંગ્રેસે સરકાર પાસે કરી છે.

congress khedut sabha : છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવા અને ખેડૂતોને કઈ રીતે આમ આદમી પાર્ટી તરફ ખેંચી શકાય તે માટેના પાર્ટી પ્રયાસ કરી રહી છે. જેથી હવે સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત કરવા માટે કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ પણ સૌરાષ્ટ્રથી કર્યા હતા. ત્યાં હવે સૌરાષ્ટ્રમાં જ ખેડૂત આક્રોશ યાત્રા યોજી રહી છે.
congress khedut sabha : મહત્વની વાત તો એ છે કે આ ખેડૂત આક્રોશ યાત્રા માટે પ્રદેશના નેતાઓને પણ એક-એક જિલ્લામાં મેદાને ઉતારવામાં આવ્યા છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, પૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના પ્રદેશના નેતાઓ પણ એક-એક જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રામાં હાજર રહેશે.
વાળું સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :
Big Relief for Farmers from the Government!: મગફળીમાં ખેડૂતોને રાહત




