Home Sports સિંદૂર ઉજાડનારા પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ શા માટે? #indiapak #pakistanmatch #cricketmatch #indiapakistan

સિંદૂર ઉજાડનારા પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ શા માટે? #indiapak #pakistanmatch #cricketmatch #indiapakistan

0
539

પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ #indiapak #pakistanmatch #cricketmatch #indiapakistan – યુએઈમાં ચાલી રહેલા એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ યોજાવાની છે. આ મેચના આયોજનનો ભારતમાં લાંબા સમયથી વિરોધ થઈ રહ્યો છે. હવે આ મુદ્દે રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની નામ પૂછીને હત્યા કરાઈ હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકી છાવણીઓનો નાશ કર્યો હતો અને પાકિસ્તાનના એરબેઝને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, હવે શિવસેના (યુબીટી)ના સર્વેસર્વા ઉદ્ધવ ઠાકરે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા અંગે સરકાર સામે આકરા સવાલ ઉઠાવ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સિંદૂર ઉજાડનારાઓ સાથે ક્રિકેટ કેમ રમાઈ રહ્યું છે? જ્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું, “શું ક્રિકેટ મેચ પણ ટ્રમ્પના દબાણમાં રમાઈ રહી છે?” મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારને ઘેરતા કહ્યું, “આ અફસોસની વાત છે કે પહલગામ હુમલામાં અમારા નાગરિકોના સિંદૂર ઉજાડી દેવાયા અને આજે પણ તે ઘા ભરાયા નથી. એક સમયે સેના પાકિસ્તાનને પાછા ધકેલી રહી હતી, પરંતુ અચાનક કાર્યવાહી રોકી દેવાઈ.

આ કોણે રોકાવ્યું? શું ઓપરેશન સિંદૂર કોઈએ રોકાવ્યું હતું?” ઉદ્ધવ ઠાકરેએ પ્રશ્ન ઉઠાવ્યો કે વડાપ્રધાન કહે છે “ખૂન અને પાણી એકસાથે વહી શકે નહીં” તો પછી “ખેલ અને જંગ એકસાથે કેવી રીતે થઈ શકે?” તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે તે ફક્ત પૈસા કમાવવા માટે દેશભક્તિનો વેપાર કરી રહી છે. તેમણે જાહેરાત કરી કે શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે ગ્રુપ)ની મહિલા કાર્યકર્તાઓ કાલે સમગ્ર મહારાષ્ટ્રમાં રસ્તાઓ પર उतરશે અને દરેક ઘરમાંથી સિંદૂર વડાપ્રધાન મોદીને મોકલીને વિરોધ નોંધાવશે.

સિંદૂર ઉજાડનારા પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ શા માટે?’

ઉદ્ધવ-કેજરીવાલે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ?

પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ પણ ટ્રમ્પના દબાણમાં રમાઈ રહી છે? : કેજરીવાલ

સરકાર ફક્ત રૂપિયા કમાવવા માટે દેશભક્તિનો વેપાર કરી રહી : ઉદ્ધવ

ઉદ્ધવ ઠાકરેએ મોસ્કો ઓલિમ્પિકનું ઉદાહરણ આપ્યુંઉદ્ધવ ઠાકરેએ તેમજ 1980ના મોસ્કો ઓલિમ્પિકનું ઉદાહરણ આપ્યું, જ્યાં અમેરિકા અને તેના સહયોગીઓએ રશિયાના આફગાનિસ્તાનમાં ઘુસણખોરીને કારણે બહિષ્કાર કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “જ્યારે વિશ્વભરમાં ઓલિમ્પિક જેવા ખેલ રોકી શકાય છે, તો આતંકવાદ ફેલાવનારા પાકિસ્તાન સાથે ક્રિકેટ કેમ?”આમ આદમી પાર્ટીએ પુતળો બાળ્યોજ્યારે, આમ આદમી પાર્ટી (AAP)એ પણ મેચનો કડો વિરોધ વ્યક્ત કર્યો.

પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલે એક X પોસ્ટમાં કહ્યું, “વડાપ્રધાનજીને પાકિસ્તાન સાથે મેચ કરાવવાની આખરે કેવી જરૂર છે? સારો દેશ કહે છે કે આ મેચ નથી થવી જોઈએ. તો આ મેચ કેમ કરાવવામાં આવી રહી છે? શું આ પણ ટ્રમ્પના દબાણમાં કરવામાં આવી રહ્યું છે? આખરે ટ્રમ્પ સમક્ષ કેટલું ઝુકશો?”દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પુતળો બાળીને પ્રેસ કોન્ફરન્સ કરી. ભારદ્વાજે આરોપ લગાવ્યો કે પાકિસ્તાનના ક્રિકેટરોએ ઓપરેશન સિંદૂર પછી અમારી મા-બહેનોનો મજાક ઉડાવ્યો અને સોશિયલ મીડિયા પર અયોગ્ય પોસ્ટ કર્યા.AAP નેતાએ કહ્યું, “અમે કેન્દ્ર સરકાર પાસેથી માંગ કરીએ છીએ કે ભારતીય ટીમને તાત્કાલિક દુબઈથી પાછી બોલાવવામાં આવે.

જે ક્લબ અને રેસ્ટોરન્ટ આ મેચનું પ્રસારણ કરશે, તેમને જનતા સમક્ષ એક્સપોઝ કરવામાં આવશે અને તેમનો બહિષ્કાર કરવામાં આવશે.”

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે