શામળાજી ખાતે જન્માષ્ટમી shamlaji #janmastmi #celebration -આજે યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીનો પાવન તહેવાર ભારે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. વહેલી સવારથી જ ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા છે. ભગવાન શામળિયાના દ્વાર ખુલતાની સાથે જ કાળિયા ઠાકોરના મંગળા દર્શનનો આરંભ થયો હતો.

શામળાજી ખાતે જન્માષ્ટમી
ભક્તોએ મોટી સંખ્યામાં મંગળા આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી. દિવસ દરમ્યાન મંદિરમાં વિવિધ મનોરથો યોજાઈ રહ્યા છે. ભગવાન શામળિયાને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું અને વિશેષ શણગાર પણ કરવામાં આવશે. જન્માષ્ટમી નિમિત્તે મંદિરને આષોપાલવના તોરણ અને કેળાના પાનથી શણગારવામાં આવ્યું છે,

ભારે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ
જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવમાં રંગાઈ ગયો છે. શામળાજી યુવક મંડળ દ્વારા સમગ્ર ગામ અને મંદિર પરિસરમાં 108 મટકી ફોડ કાર્યક્રમો યોજાશે. 11 વાગ્યે ભગવાન કૃષ્ણનો ભવ્ય વરઘોડો પણ કાઢવામાં આવશે. મંદિર અને ગામના મુખ્ય માર્ગો પર 108 મટકી બાંધવામાં આવી છે, અને અંદાજે 200 કિલો ગુલાલ ઉડાડવામાં આવશે.

Ganesh Gondal ભગવાન શ્રી દ્વારકાધીશની આરતી કરીને દર્શન #GONDAL #ganeshgondal #dwarka #dwarkadhish
આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ