અમદાવાદ રથયાત્રા #amdavad #rathyatra #routesecurity #ahmedabad – અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાની તૈયારી હવે અંતિમ તબક્કામાં છે. રથયાત્રાના રૂટ પર સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપીને જોખમી માળખાં દૂર કરવાની કામગીરી વહેલી સવારે શરૂ કરવામાં આવી.
અમદાવાદ:રથયાત્રાને લઈ તૈયારીઓ પૂર જોશમાં
રથયાત્રા રૂટ પરથી ઢીલા મકાનો તોડવામાં આવ્યા

જુના અને જોખમી મકાનોના આગળના ભાગ તોડી પાડ્યા
અનિચ્છનીય બનાવ ન બને માટે કામગીરી હાથ ધરાઈ
” “મ્યુનિસિપલ ટિમ અને સુરક્ષા દળોની હાજરીમાં, યાત્રા માર્ગ પર આવેલા જુના અને જોખમી મકાનોના આગળના ભાગ તોડી પાડવામાં આવ્યા. અમુક સ્થળોએ ઘરનાં માલિકોની મૌખિક રજુઆત બાદ કામગીરી સુમેળથી પૂર્ણ કરાઈ.”
રથયાત્રા દરમિયાન હજારો ભક્તો રસ્તે ઉતરે છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, તેની તૈયારી તરીકે શહેર વહીવટ તંત્રએ આ પગલાં લીધા છે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે